ગુજરાત

gujarat

ભાજપે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડી નાંખ્યું છેઃ હેમંતા બિસ્વા સર્મા

વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થઈ (Assam CM visit Surat) ગયો છે, ત્યારે કામરેજ ખાતે આસામના મુખ્યપ્રધાને જનસભા સંબોધી હતી. આસામના મુખ્યપ્રધાને કોંગ્રેસ (Surat Hemant Vishwa Sharma) પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ કહ્યું હતું કે, ગુજરાતમાં હું શીખવા આવ્યો છું. ગુજરાતથી અમે પ્રેરણા લઈએ છીએ. (Gujarat Assembly Election 2022)

By

Published : Nov 19, 2022, 12:11 PM IST

Published : Nov 19, 2022, 12:11 PM IST

મુંબઈ કાંડ, સંસદ કાંડ, દેશમાં હવે કોઈ કાંડ નથી : સુરતથી આસામના CM
મુંબઈ કાંડ, સંસદ કાંડ, દેશમાં હવે કોઈ કાંડ નથી : સુરતથી આસામના CM

સુરત :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપએ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી (Assam CM visit Surat) ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે શુક્રવારની રાત્રીના રોજ કામરેજના ABC મોલ ખાતે ભાજપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા શર્મા હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. (Surat Hemant Vishwa Sharma)

આસામના CMએ કામરેજ ખાતે જનસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

કોઈ કાંડ દેશમાં નથી આસામના મુખ્યપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં સંસદમાં બંદૂક લઈને આવશે અને સાંસદમાં ગોળી કાંડ થશે, કોંગ્રેસ શું કરે છે જે CRPF જવાનું નિધન થાય એના મેમોરિયલમાં ફંકશન કરે છે. મુંબઈમાં 26 11 થયું કોંગ્રેસે શું કર્યું? મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે બે વર્ષ તેમને બોમ્બ ફોડ્યા અને અમે પણ દસ બાર બોમ્બ ફોડ્યા મામલો પૂરો અત્યારે નથી. મુંબઈ કાંડ નથી, સંસદ કાંડ નથી, દેશમાં હવે કોઈ કાંડ નથી. (Hemant Vishwa Sharma Attack Congress)

200 જેટલા AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કામરેજ તાલુકામાં આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપી હતી. કોંગ્રેસનું સ્થાન લઈને વિરોધ પક્ષમાં બેઠી હતી, ત્યારે હાલ કામરેજ વિધાનસભા પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર છે. ભાજપે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડી દીધું છે. જેને લઈને કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અજીત આહીર, સુરત જિલ્લા માલધારી સેલના પ્રમુખ વના ભુવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના 200 જેટલા સક્રિય કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. (Gujarat Assembly Election 2022)

હેમંત બિસ્વા શર્મા ગુજરાતને લઈને આવું કહ્યું આસામના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હું શીખવા આવ્યો છું. ગુજરાતથી અમે પ્રેરણા લઈએ છીએ. ક્યાં બાબર અને ક્યાં જય શ્રી રામ, ભારત ક્યારે અધડું રામનું હોય જ નહી આખું ભારત જય શ્રી રામનું છે. PM મોદી અને અમિત શાહે મળીને 370ના સૂપડા સાફ કરી દીઘા. ભાજપની સભામાં ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા, કામરેજ તાલુકા સંગઠન પ્રમુખ બળવંત પટેલ, મહામંત્રી હિરેન પટેલ, કારોબારી પ્રમુખ રસિક પટેલ સહિતના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. (Assam CM sabha in Surat)

ABOUT THE AUTHOR

...view details