સુરત : જિલ્લા કલેક્ટરે સુરત લક્ઝરી બસ એસોસિએશન સાથે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્ર વતન તરફ જવા માંગતા રત્ન કલાકારો અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કિલો મીટર દીઠ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. સુરતથી લક્ઝરી બસના સંચાલકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવશે. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જે તે જિલ્લાના મામલતદારની પરવાનગી મેળવવામાં આવશે. જ્યાં પરવાનગી મળતા સુરતથી મુસાફરો ભરેલી બસ વતન રવાના કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માંગતા લોકો માટે ST બસોની ફાળવણી - કેબિનેટની બેઠક
રાજ્ય સરકારની મળેલી કેબિનેટની બેઠકમાં સૌરાષ્ટ્રવાસી અને રત્ન કલાકારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માંગતા લોકો માટે એસટીની બસો ફાળવવમાં આવી છે. સુરતમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી આ માટે ત્રીસ લોકોનું ગ્રુપ બુકીંગ લેવામાં આવશે. ત્યારબાદ તેઓના નક્કી કરેલા સ્થળ પર એસ.ટી.બસ તમામ મુસાફરોને લેવા પણ જશે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ અને ગાઈડ લાઇન પ્રમાણે ત્રીસ જેટલા મુસાફરો માત્ર બસમાં બેસી શકશે. જ્યારે દિવાળી દરમિયાન લેવામાં આવતા ભાડા મુજબ જ ટિકિટનો દર પણ વસૂલવામાં આવશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે જનારી સવા બસો જેટલી બસો સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. જ્યાં જરૂર પડે ત્યારે વધારાની બસો પણ દોડાવવામાં આવશે. તમામ મુસાફરોનું સુરતથી જ મેડિકલ સ્ક્રીનીંગ કરી રવાના કરાશે. એસ.ટી.બસોને પણ સેનેટાઈઝ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માંગતા લોકો માટે ST બસોની ફાળવણી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માંગતા લોકો માટે ST બસોની ફાળવણી
આ માટે લક્ઝરી બસ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું કે આ માટે જિલ્લામાં બે ચેક પોસ્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં મુસાફરોનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. સાથે જ સોશિયલ ડિસ્ટનસિંગનું પણ ધ્યાન રાખી બસમાં મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે. 400 કિલો મીટર સુધી 1000 ભાડું, 500 કિલો મીટર સુધી 1200 રૂપિયા ભાડું અને 500થી વધુ કિલો મીટરના 1500 રૂપિયા સુધીનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.