સુરત: રાત-દિવસ કામગીરી કરી શહેરની તમામ સરકારી રાશનની દુકાનોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જેથી લોકડાઉનના સમયે લોકોને રાશનની અછત ન સર્જાય.
સુરતમાં APL-1 કાર્ડધારકોને શરૂ કરાયું વિનામૂલ્યે અનાજ વિતરણ
કોરોના વાઈરસના કારણે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં સૌને પૂરતું અનાજ મળી રહે, તે માટે રાજ્ય સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી સુરત શહેર-જિલ્લાના APL-1 કાર્ડધારકોને મળવાપાત્ર રાશનના જથ્થાનું વિતરણ શરૂ કરામાં આવ્યું છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અનાજ લેવા પહોંચ્યા હતા.
સુરતમાં APL-1 કાર્ડધારકોને શરૂ કરાયું મફત અનાજ વિતરણ
APL-1 રાશનકાર્ડ ધારકોને 13થી 17 એપ્રિલ દરમિયાન લોકોને રાશનનું વિતરણ કરવામાં આવશે. આ માટે સુરત શહેર અને જિલ્લાના દરેક રાશનની દુકાનોમાં તલાટી અને પોલીસના સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં પાત્રતા અને અગ્રતા ધરાવતા APL-1 રાશનકાર્ડ ધારકોને વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. જે બાદ વિવિધ જિલ્લામાં મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.