ગુજરાત

gujarat

ETV Bharat / state

હરવા ફરવાની શોખીન અને તારક મહેતાની ફેન હીરા વેપારીની 12 વર્ષીય પુત્રી કુમારી આન્સી દીક્ષા લેશે

દીક્ષા નગરી સુરતમાં(Diksha Nagri Surat ) રફ હીરાના વેપારી (Diamond trader)ની બાર વર્ષીય પુત્રી કુમારી આન્સી દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે.સુરતના પાલ વિસ્તારમાં રહેતા દીપકભાઇ શાહની દીકરી કુમારી આન્સી માત્ર 12 વર્ષની નાની ઉંમરે સંયમનો માર્ગ અપનાવવાના મનોરથ સાથે દીક્ષા ગ્રહણ કરશે.તેમના પિતા દીપકભાઇએ જણાવ્યું હતું કે, કુમારી આન્સી હરવા ફરવાની શોખીન છે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ની ફેન હતી. છ વર્ષની ઉંમરે 8 ઉપવાસ અને સાત વર્ષની ઉંમરે 16 ઉપવાસ કર્યા છે. 9 વર્ષની ઉંમરે પૂજ્ય દીક્ષાદાનેશ્વરી આ.શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજની (Shri Gunaratna Surishwarji Maharaj)નિશ્રામાં માસક્ષમણ (30 ઉપવાસ) ની ઉગ્ર તપશ્ચર્યા કરી છે સ્કુલમાં માત્ર ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે.

By

Published : Nov 12, 2021, 6:54 AM IST

હરવા ફરવાની શોખીન અને તારક મહેતાની ફેન હીરા વેપારીની 12 વર્ષીય પુત્રી કુમારી આન્સી દીક્ષા લેશે
હરવા ફરવાની શોખીન અને તારક મહેતાની ફેન હીરા વેપારીની 12 વર્ષીય પુત્રી કુમારી આન્સી દીક્ષા લેશે

  • હીરાના વ્યવસાય દીપકભાઈ શાહની પુત્રી 12 વર્ષના આન્સીની દીક્ષા લેશે
  • આન્સીને શ્રી ઉમરા જૈન સંઘ માં દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું
  • રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 2022 ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા ગ્રહણ કરશે


સુરત :દીક્ષા નગરી સુરતમાં રફ હીરાના વેપારી ની બાર વર્ષીય પુત્રી કુમારી આન્સી (kumari Ansi)દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે.સુરતના પાલ વિસ્તારમાં રહેતા દીપકભાઇ શાહની દીકરી કુમારી આન્સી માત્ર 12 વર્ષની નાની ઉંમરે સંયમનો માર્ગ અપનાવવાના મનોરથ સાથે દીક્ષા ગ્રહણ કરશે. કુમારી આન્સી હરવા ફરવાની શોખીન છે. સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka Ulta Chashma)સીરીયલ ની ફેન પણ હતી.

આન્સીને શ્રી ઉમરા જૈન સંઘ માં દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું

સુરી પ્રેમ-ભૂવનભાનું સમુદાયના પૂજ્ય દીક્ષાદાનેશ્વરી આ.દેવ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજના (A.Dev.Shri Gunaratnasurishwarji Maharaj)દિવ્ય આશીર્વાદથી એમના આજીવન ચરણો પાસક પૂજ્ય આ. દેવ શ્રી રશ્મિ રત્ન સુરીશ્વરજી મહારાજે થરા સમાજના સુખી-સંપન્ન દીપકભાઈ શાહની 12 વર્ષીય પુત્રી કુમારી આન્સીને શ્રી ઉમરા જૈન સંઘમાં દીક્ષાનું (Jain Sangh diksha)મુહૂર્ત પ્રદાન કર્યું છે. એમની દીક્ષા સુરત પાલ મુકામે 17 ફેબ્રુઆરી 2022ના રોજ થશે.

કુમારી આન્સી હરવા ફરવાની શોખીન છે

આ સાથે ઉમરાળામાં 24 મુમુક્ષુ અને દીક્ષા ના મુરતો અપાયા છે.મુમુક્ષુ કુમારી આન્સીવિશેના પિતા દીપકભાઇએ જણાવ્યું હતું કે, કુમારી આન્સી હરવા ફરવાની શોખીન છે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ની ફેન હતી. છ વર્ષની ઉંમરે 8 ઉપવાસ અને સાત વર્ષની ઉંમરે 16 ઉપવાસ કર્યા છે. 9 વર્ષની ઉંમરે પૂજ્ય દીક્ષાદાનેશ્વરી આ.શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં માસક્ષમણ (30 ઉપવાસ) ની ઉગ્ર તપશ્ચર્યા કરી છે સ્કુલમાં માત્ર ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે.

અમે સહુ ધન્યતા અનુભવી રહ્યા છીએ

સાથે તેઓએ જણાવ્યું હતું કે,રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 2022 ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા ગ્રહણ કરશે. અમારા માટે ખૂબ જ મોટી ગૌરવની ક્ષણ હશે. પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 400મી દીક્ષા થવા જઈ રહી છે. તેને અમે સહુ ધન્યતા અનુભવી રહ્યા છે. આન્સી સંયમના માર્ગ પર ખૂબ જ સારી રીતે આગળ વધે અને જન કલ્યાણ માટે કાર્ય કરતી રહે એવી અમે આશા રાખીએ છે.

આ પણ વાંચોઃમુંબઈના મેટલના ઉદ્યોગપતિ સહપરિવાર લેશે દીક્ષા, CA અને ફૂટબોલનો નેશનલ પ્લેયર પણ સંયમના માર્ગે
આ પણ વાંચોઃપાદરા જંબુસર રોડ પાસે પેસેન્જર ભરેલો ટેમ્પો પલટી જતાં 14ને ઇજા પહોંચી

ABOUT THE AUTHOR

...view details