મૂળ મહારાષ્ટ્રના વતની યશવંત પોનીકર પરિવાર સાથે રહેતા હતા. તેઓ સવારે બાઈક પર બે પુત્ર ભાવેશ, ભુપેન્દ્ર અને અન્ય ભત્રીજા સાહિલને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન આગળથી આવી રહેલી સિટી બસે બાઇકને અડફેટે લીધુ હતુ.
આ ઘટનામાં પિતા સહિત 1 પુત્ર તેમજ ભત્રીજાનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પુત્રને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ સિટી બસનો ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. ઘટના દરમિયાન બસમાં સવાર મુસાફરો પણ તાત્કાલિક બહાર ઉતરી ગયા હતા. ઘટનાના પગલે મુસાફરોના જીવ પણ ટાળવે ચોંટી ગયા હતા.