ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં CA અને હાઇ પ્રોફાઇલ જોબવાળા લેશે દીક્ષા - 1 ફેબ્રુઆરી જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ

સુરતના આંગણે 1 ફેબ્રુઆરીના રોજ 100થી પણ વધુ લોકો સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે. જે દરમિયાન 77 મુમુક્ષોની ભવ્ય વર્ષીદાનયાત્રા નીકળી હતી.

surat
સુરત

By

Published : Jan 31, 2020, 2:24 PM IST

સુરતના અઠવાલાઇન્સ ખાતેથી નીકળેલી આ યાત્રામાં એક સાથે છ પરિવારના દીક્ષા લેનાર મુમુક્ષોનો સમાવેશ થાય છે. જ્યારે 20થી વધુ આવા યુવક-યુવતીઓ છે કે, જેઓ ગ્રેજ્યુએટથી લઈ સી.એ કરી ચૂક્યા છે. તેમજ કોઈ ડાયમંડ અને ટેક્સટાઇલના પરિવારમાંથી છે. તો કોઈ હાઈપ્રોફાઈલ જોબ કરે છે.

સુરતમાં CA અને હાઇ પ્રોફાઇલ જોબવાળા લેશે દીક્ષા

1 ફેબ્રુઆરી જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ રહેશે. કારણ કે આ દિવસે સૌથી વધુ મુમુક્ષો દીક્ષા લેવા જઈ રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય શ્રી વિજય શ્રેયાંશપ્રભૂસુરીશ્વરજીના સાનિધ્યમાં 71 મુમુક્ષો જ્યારે પાલ રામ પાવન ભૂમિ ખાતે આચાર્ય અભયદેવસૂરીશ્વરજીના સાનિધ્યમાં 5 મુમુક્ષો ત્યારે પાલ ઓમકાસુરી આરાધના ભવન ખાતે 22 મુમુક્ષો આચાર્ય શ્રીયશોવીજયસુરીશ્વરજીના સાનિધ્યમાં દીક્ષા લેશે.

સુરતમાં યોજાનારી આ ઐતિહાસિક દીક્ષા સમારોહમાં 10થી લઇ 84 વર્ષના ભાઈ બહેનો છે. જેમાંથી 10 થી 17 વર્ષના 17 લોકો, 18 થી 45 વર્ષના 40 અને 40થી વધુ ઉંમરના તમામ લોકો છે. આ દીક્ષા કાર્યક્રમમાં 20 થી વધુ એવા યુવાનો છે. જે ગ્રેજ્યુએશન કરતા વધુ ભણતર ધરાવે છે. જેમાં કેટલાક CA અને હાઇ પ્રોફાઇલ જોબ કરે છે.

આ દરમિયાન 77 મુમુક્ષોની નીકળેલી ભવ્ય યાત્રા 2 કિલો મીટર લાંબી હતી. જેમાં અલગ અલગ ઝાંખીઓ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details