- અજાણ્યા વાહને મારી ટક્કર
- ગંભીર ઇજા થતાં સ્થળ પર જ થયું મોત
- વાહન ચાલક વાહન લઈને નાસી છૂટ્યો
સુરતઃબારડોલી તાલુકાનાં અસ્તાન ગામની સીમમાં સાઈ મંદિર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજયું હતું. મૃતક વ્યારા સેશન્સ કોર્ટમાં બેલિફ તરીકે નોકરી કરતાં હતા.
મૃતક વ્યારા સેશન્સ કોર્ટમાં નોકરી કરતા હતા
બારડોલી તાલુકાના સુરજ નગરમાં રહેતા નટવરભાઇ ઈશ્વરભાઈ ચૌધરી તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે આવેલી સેશન્સ કોર્ટમાં બેલિફ તરીકે નોકરી કરતાં હતા. માંડવીથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.