ગુજરાત

gujarat

ETV Bharat / state

નવજાત બાળકીનું મોત નીપજાવી ત્યજી દેનાર નિષ્ઠુર માતાની ધરપકડ - Gujarat

સુરતઃ માતૃ દિવસ એટલે કે મધર ડે...ત્યારે મધર્સ ડેના દિવસે એક નિષ્ઠુર માતાને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો હતો. વરાછા વિસ્તારમાં દોઢ માસ પહેલા તાજી જન્મેલી બાળકીનું મોત નીપજાવી તેને કચરા પેટીમાં ફેકી જનારી નિષ્ઠુર માતાની વરાછા પોલીસે ધરપકડ કરી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

sur

By

Published : May 13, 2019, 2:09 PM IST

વરાછા સ્થિત પટેલ નગર પાસે દોઢ માસ અગાઉ એક મૃત નવજાત બાળકી મળી આવી હતી. આ બનાવની જાણ થતા વરાછા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં વરાછા પોલીસે સઘન તપાસ બાદ આ કૃત્ય કરનારી મહિલાની ધરપકડ કરી હતી અને આ મહિલા કોઈ અન્ય નહીં મૃતક બાળકીની માતા છે. પોલીસ તપાસમાં મહિલાએ પોતાનું નામ સોનલબેન રાઠોડ હોવાનું જણાવ્યું હતું અને તેની કડક પૂછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરી હતી. છેલ્લા 59 દિવસમાં બાળકીની હત્યા કરનાર આરોપીને શોધવા માટે પોલીસે 100 જેટલી હોસ્પિટલ અને ૩૦૦ જેટલા ઘરોની તપાસ હાથ ધરી હતી. આખરે ખબર પડી કે બાળકીને દબાવીને હત્યા કરનાર કોઈ બીજું કોઈ નહીં માતા છે.

નવજાત બાળકીનું મોત નીપજાવી કચરા પેટીમાં ફેંકી જનારી નિષ્ઠુર માતાની ધરપકડ

મહિલાની ઉંમર 40 વર્ષ છે અને તે પરિણીત છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના પતિથી અલગ રહે છે અને 4 પુત્ર પણ છે. માસૂમ બાળકીનું ગળું દબાવીને હત્યા કરવા પાછળનું કારણ મહિલાએ જણાવ્યું હતું કે, તે પતિથી અલગ રહે છે અને તેનું કારણ ભરણપોષણ કરવાની ક્ષમતા નહોતી. આજ કારણ છે કે માતાએ બાળકીની હત્યા કરી નાખી હતી, જ્યારે મૃત હાલતમાં બાળકી મળી હતી ત્યારે પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યું હતું. જ્યાં ખબર પડી હતી કે તેનું મોત ગળુ દબાવી અને બ્રેઈન હેમરેજના કારણે થયું હતી. નવજાત બાળકી હોવાના કારણે પોલીસે તમામ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી હતી અને જે તે સમયે તમામ ગર્ભવતી મહિલાઓ સાથે સંપર્ક પણ કર્યો હતો.

પરંતુ કોઇપણ હોસ્પિટલથી યોગ્ય પુરાવો ન મળતા પોલીસ સમજી ગઈ હતી કે બાળકીનો જન્મ હોસ્પિટલમાં થયો નથી. કારણકે બાળકી સાથે ગર્ભનાળ પણ મળી આવી હતી અને આખરે પોલીસે સઘન તપાસ બાદ હત્યારી માતાની ધરપકડ કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, મધર્સ ડેના દિવસે જ એક નિષ્ઠુર માતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. કોઈ મા આટલી હદે નિર્દયી બની શકે તે કલ્પનાની બહારની વાત છે. જોકે મા શબ્દ માટે કલંક બની ગયેલી નિષ્ઠુર માતા આજે સળિયા પાછળ પહોંચી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details