ગુજરાત

gujarat

સુરતમાં કોરોના વોરિયર મહિલા હેડ નર્સનું કોરોનાથી મોત, નવી સિવિલમાં સારવાર પર હતાં

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા હેડ નર્સનું કોરોનાથી મોત થયું છે. તેઓની સારવાર છેલ્લાં 12 દિવસથી ચાલી રહી હતી.

By

Published : Jul 20, 2020, 12:15 PM IST

Published : Jul 20, 2020, 12:15 PM IST

નવી સિવિલ હોસ્પિટલ
નવી સિવિલ હોસ્પિટલ

સુરત: 12 દિવસથી સિવિલ હોસ્પિટલના MICUમાં દાખલ 57 વર્ષીય રશ્મિતા પટેલનું કોરોનાએ ભોગ લીધો છે. સુરતના નર્સિંગ કમ્પાઉન્ડમાં રહી દર્દીઓની સેવા કરનાર રશ્મિતા પટેલને શરદી, ખાંસી, તાવ અને શરીરના દુઃખાવાને લઈ દાખલ કરવામાં આવ્યાં હતાં.

નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા હેડ નર્સનું કોરોનાથી મોત
સારવાર દરમિયાન હેડ નર્સ રશ્મિતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 12 દિવસથી સારવાર ચાલી રહી હતી. જ્યારે આજે કોરોનાના કારણે મોત નિપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details