ગુજરાત

gujarat

ETV Bharat / state

દમદાર દાદી: નવસારીના 90 વર્ષીય દાદીએ હસતાં મોઢે કોરોનાને હરાવ્યો - નવસારીમાં કોરોના

નવસારીના 90 વર્ષીય દાદીએ સ્મીમેરમાં 7 દિવસની સારવાર લઈને કોરોનાને મ્હાત આપી હતી. કોરોનામુક્ત થયેલા દાદીએ કહ્યું હતું કે, 'આપણે કોરોનાથી ડરીશું તો કોરોના આપણા પર ગંભીર બનશે. આપણી હિંમત જ આપણી ઇમ્યુનિટી વધારી શકે છે. હંમેશા કામ કરતાં રહો, પ્રવૃત્તિમય રહેશો તો સ્વાસ્થ્ય સારૂ રહેશે અને કોઇ પણ બિમારી સામે સુરક્ષિત રહી શકશો.

દમદાર દાદી: નવસારીના 90 વર્ષીય દાદીએ હસતાં મોઢે કોરોનાને હરાવ્યો
દમદાર દાદી: નવસારીના 90 વર્ષીય દાદીએ હસતાં મોઢે કોરોનાને હરાવ્યો

By

Published : May 4, 2021, 8:17 PM IST

  • નવસારીના 90 વર્ષીય દાદીએ 7 દિવસની સારવાર લઈને કોરોનાને મ્હાત આપી
  • તેમની સારવાર કરનારા સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો પણ આશ્ચર્યમાં
  • સ્મીમેરમાં સારવાર કરતાં ડોક્ટરોએ મને સગી દાદી હોઉં એ રીતે રાખી: દાદી

સુરત:શહેરમાં અનેક વડીલો કોરોના વાઇરસ સામે લડીને સંપૂર્ણ સ્વસ્થ થયાં હોય એવા અનેક કિસ્સા ઉજાગર થયાં છે. ત્યારે, નવસારીના 90 વર્ષીય દાદી સવિતાબેન કિશોરભાઇ દેસાઈએ સ્મીમેરમાં 7 દિવસની સારવાર લઈને કોરોનાને મ્હાત આપી છે. તેમના પરિવારને ચિંતા હતી કે, આ કપરાં સમયમાં તેઓ કદાચ બચી શકશે કે કેમ, પરંતુ તેમણે કોરોનાને હારવીને પોતાના મક્કમ મનોબળનો પરચો આપ્યો છે. જેનાથી તેમની સારવાર કરનારા ડોક્ટરો પણ આશ્ચર્યમાં છે. સવિતાબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે જરા પણ ડર વિના હસતા મુખે કહેતા હતા કે, 'મને કંઇ ન થાય, કારણ કે મને કોરોનાથી ડર જ નથી લાગતો.' દાદીમાં સ્વસ્થ થઈને ઘરે આવ્યાં અને તરત જ પોતાનું દૈનિક કાર્ય કરવા લાગ્યા હતા, જાણે કે કોરોના થયો જ ન હોય.'

આ પણ વાંચો:રાજકોટમાં 8 મહિનાના બાળકે કોરોનાને આપી માત

કોરોના પોઝિટિવ આવતાં હોમ આઇસોલેટ થયા

સવિતાબેન નવસારીના ચીકુવાડી, આશાબાગ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. કોરોના પોઝિટિવ આવતાં હોમ આઇસોલેટ થયા હતા, પણ ઓક્સિજન લેવલ ઓછું થતાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લવાયા હતા. ત્યારે, તેમનું ઓક્સિજન લેવલ 86 ટકા થઈ ગયુ હતું. આ સમયે, ફેફસાંમાં 30 ટકા કોરોના ઇન્ફેક્શન હતું. પરંતુ, સમયસર અને સઘન સારવારના પરિણામે આજે તેમનું ઓક્સિજન પ્રમાણ 95 ટકા થયું છે, અને સંપૂર્ણ સ્વસ્થ થયાં છે.'

ઓક્સિજનની વ્યવસ્થા ન હોવાથી દાદીને સુરતની સ્મીમેરમાં લાવ્યા

સવિતાબેનની પૌત્રી સેજલ દેસાઇ જણાવે છે કે, '08 એપ્રિલના રોજ દાદીની અચાનક તબિયત બગડતાં પ્રાઇવેટ ક્લિનકમાં બતાવ્યું હતું. ત્યાં, 2 દિવસની સારવાર બાદ કોવિડ લક્ષણો હોવાથી 10 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવતાં હોમઓઇસોલેટ કરાયા હતા. આ બાદ, 20 એપ્રિલના રોજ દાદીને અચાનક શ્વાસ લેવામાં તફલીફ પડવા લાગી હતી. જેથી, પરિવાર દ્વારા નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં ઓક્સિજનની વ્યવસ્થા ન હોવાથી પરિવાર દ્વારા દાદીને સુરતની સ્મીમેરમાં લાવ્યા હતાં. ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોવાથી સ્મીમેરના કોવિડ-19ના વોર્ડમાં દાખલ કરી ઓક્સિજન પર રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી. સમયસરની સારવાર મળતા દાદીને શ્વાસ લેવામાં ખૂબ રાહત થઈ હતી.

આ પણ વાંચો:સુરતના 82 વર્ષના વૃદ્ધા અને 24 વર્ષની યુવતીએ કોરોનાને હરાવ્યો

દાદીનો દરેક કામમાં પોઝિટિવ એપ્રોચ

સેજલબેને વધુમાં જણાવ્યું હતું કે, દાદીમાનું મનોબળ તો પહેલેથી જ મક્કમ છે. પરંતુ, તેઓ ધાર્મિક માર્ગે સરળ અને સાદી જીવનશૈલીના કારણે કોરોના વાઇરસ હાર્યો છે. અમે દરરોજ તેમનો દરેક વાત, દરેક કામમાં પોઝિટિવ એપ્રોચ જોઈએ છે. જે અમને પણ મોટીવેટ કરે છે.' દાદીમાં સ્વસ્થ થઈ જતાં 27 એપ્રિલે રજા આપવામાં આવી હતી.

'આપણે કોરોનાથી ડરીશું તો કોરોના આપણા પર ગંભીર બનશે

કોરોનામુક્ત થયેલા સવિતાબેન દેસાઇ જણાવે છે કે “મને ખબર જ હતી કે હું સારી થઇ જઇશ. કારણ કે, મને મારા માતાપિતાએ નાનપણથી ખુબ હિંમતવાન બનાવી છે. જેથી મને કોરોના હોય કે કોઈ પણ દર્દ હોય મને ડર જ લાગતો નથી. હું અન્ય દર્દીઓને કહું છું કે, 'આપણે કોરોનાથી ડરીશું તો કોરોના આપણા પર ગંભીર બનશે. આપણી હિંમત જ આપણી ઇમ્યુનિટી વધારી શકે છે. હંમેશા કામ કરતાં રહો, પ્રવૃત્તિમય રહેશો તો સ્વાસ્થ્ય સારૂ રહેશે અને કોઇ પણ બિમારી સામે સુરક્ષિત રહી શકશો. સ્મીમેરમાં સારવાર કરતાં ડોક્ટરોએ મને સગી દાદી હોઉં એ રીતે સારવાર કરીને મારૂ ખુબ ધ્યાન રાખ્યું જે બદલ એમની આભારી છું '

ABOUT THE AUTHOR

...view details