ગુજરાત

gujarat

ETV Bharat / state

નાણાં ચૂકવી દીધા છતાં લાભાર્થીઓ બે વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત

સુરતના વેસુ વિસ્તારમાં વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો હતો. જેમાં વેસુ સ્થિત આવેલા સુમન મલ્હાર આવાસમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. જે દરમિયાન મનપાની રકમ ચૂકવી દેવા છતાં આજદિન સુધી ફ્લેટનો કબજો નહીં મળતા રહીશોએ મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

By

Published : Dec 2, 2020, 2:12 PM IST

Surat
સુરત

  • ફ્લેટનો કબ્જો નહીં મળતા રહીશોનો વિરોધ
  • ફ્લેટ ધારકોએ મનપા કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન
  • વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઇ

સુરત: શહેરના વેસુ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત સુમન મલ્હાર આવાસનો વર્ષ 2018માં ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયા તેમજ નાણાં ચૂકવી દીધા હોવા છતાં બે વર્ષથી તેઓનો ફ્લેટનો કબજો સોંપવામાં આવ્યો નથી. જેને લઈને લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે આવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને ફ્લેટનો કબજો તાત્કાલિક આપવા માગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ જોડાઇને નારા લગાવ્યા હતા.

નાણાં ચૂકવી દીધા છતાં લાભાર્થીઓ બે વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત
કમિશ્નર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લાભાર્થીઓની માગ

આ અંગે લાભાર્થી કાંતિભાઈ જાદવે જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તેમજ ધંધા રોજગાર બંધ હોવાથી અમારી હાલત કફોડી બની ગઇ છે. એક તરફ ફ્લેટના બેન્કના હપ્તા તેમજ હાલ ભાડે રહેતા હોવાથી ભાડું પણ ભરવું પડતું હોવાથી હાલત કફોડી બની ગઇ છે. જેથી મનપા કમિશ્નર આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લાભાર્થીઓએ માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details