ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ગ્રામ્યમાં ગુરૂવારે કોરાનાના નવા 29 કેસ નોંધાયા - Surat Rural Corona Update

સુરત ગ્રામ્યમાં ગુરૂવારે કોરાના(Corona)ના નવા 29 પોઝિટિવ કેસ નોંધાયા હતા. Corona Virusના લીધે બારડોલીની 65 વર્ષીય મહિલાનું મોત પણ થયું હતું. ગુરૂવારે વધુ 84 દર્દીઓ સ્વસ્થ થતા હાલ hospitalમાં 793 દર્દીઓ કોરાનાની સારવાર હેઠળ છે.

સુરત ગ્રામ્ય
સુરત ગ્રામ્ય

By

Published : Jun 11, 2021, 5:00 PM IST

  • ગ્રામ્ય ગુરૂવારે કોરાનાના 29 કેસ નોંધાયા
  • કોરાનાના કારણે બારડોલીની 65 વર્ષીય મહિલાનો લીધો ભોગ
  • હાલ ગ્રામ્યમાં 793 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરતઃ ગ્રામ્યમાં ગુરૂવારે કોરાના વાઈરસના 29 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે સંક્રમિત દર્દીઓ સંખ્યા 31,765 પર પહોંચી ગઈ હતી. જ્યારે કોરાનાના લીધે બારડોલી તાલુકાની 65 વર્ષીય મહિલાનું મોત થતા મુત્યુઆંક 475 પર પહોંચી ગયો હતો. જ્યારે ગુરૂવારે વધુ 84 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયા હતા. જેથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા
30,497 પર પહોંચી ગઈ હતી. હાલ ગ્રામ્યમાં 793 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બારડોલી તાલુકામા 8 કેસ નોંધાયા

સુરત જિલ્લામાં ગુરૂવારે એકપણ તાલુકામા 10થી વધુ કેસ નોંધાયા ન હતા. તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસીમાં 02, ઓલપાડમાં 03, કામરેજમાં 01, પલસાણામાં 03, બારડોલીમાં 08, મહુવામાં 08, માંડવીમાં 01, માંગરોળમાં 03 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના 37 કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details