ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા માર્યા, સમાધાન બાદ ફરી શિક્ષણકાર્ય શરૂ

સાબરકાંઠાઃ એક તરફ સરકાર ગુણોત્સવ યોજીને નબળી શાળાઓના મુલ્યાંકન દરમિયાન તેમને સુધારવાની વાત કરે છે, તો બીજી તરફ કેટલીક સરકારી શાળાઓનુ શિક્ષણ જાણે ખાડે ગયુ હોય તેવી સ્થિતી છે. આવી જ એક શાળા છે પ્રાંતિજના રણછોડપુરા પ્રાથમિક શાળા. આ ગામની શાળાનુ શિક્ષણ નબળુ હોવાને કારણે વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ આવડતુ ન હોવાથી ગ્રામજનોએ ફરી એક વખત તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે.

By

Published : Feb 26, 2019, 2:53 PM IST

fekdfnj

આ પહેલા પણ ગ્રામજનોએ શાળાને તાળા બંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના શિક્ષકોની બદલી કરી હતી, પરંતુ તાજેતરમાં યોજાયેલા શિક્ષકના બદલી કેમ્પમાં નિયમોનુસાર શિક્ષકોને મુળ જગ્યાએ બદલી કરવામાં આવી હતી. આ નિર્ણયનો વિરોધ કરતા ગ્રામજનોએ ફરી વખત શાળાને તાળાબંધી કરી હતી.

sdfs

તાળાબંધી બાદ શિક્ષણ અધિકારીએ ગામમાં આવી ગ્રામજનોને સમજાવટ બાદ સમગ્ર શાળામાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય હાથ ધર્યુ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાતાકીય તપાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાની ગ્રામજનોને ખાતરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details