સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મા મંગળવારના રોજ બપોર બાદ એમ. માધવલાલ નામની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી ઉપર અજાણ્યા શખ્શો દ્વારા ચપ્પુ તેમજ ફાયરિંગ કરી લૂંટ કરી હતી. તેમજ ફાયરિંગ અને ચપ્પાના ઘાને પગલે કર્મચારીનું મોત થયું હતું. જેના પગલે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જોકે બે દિવસ બાદ પણ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકાયું નથી. તેમજ આરોપી મુદ્દે પોલીસ પાસે પણ હજુ સુધી કોઈ ઠોસ પુરાવા ન હોવાનું જાણવા મળ્યું છે.
ખાસ કરીને આ મુદ્દે પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા સહિત આસપાસની જગ્યાઓના CCTV ફૂટેજ મેળવ્યા છે. જેમાં ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થતાં જોવા મળે છે જોકે હજુ સુધી આરોપીઓ મામલે કોઇપણ મોટો ખુલાસો થઇ શક્યો નથી.