ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાઃ જાદર ખાતે ફરજ બજાવતાં કોમલ રાઠોડ કેન્સરને હરાવી બન્યા સફળ મહિલા PSI - કોમલ રાઠોડ કેન્સરને હરાવી બન્યા સફળ મહિલા PSI

સામાન્ય રીતે કેન્સરનું નામ સાંભળતા જ ભલભલા વ્યક્તિઓના પગ તળેથી જમીન ખસી જાય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં PSI તરીકે ફરજ બજાવતા કોમલ રાઠોડને આઠ વર્ષ પહેલા કેન્સર નામના દૈત્યને હરાવી આજે છેલ્લા પાંચ વર્ષથી સાબરકાંઠા જિલ્લામાં સફર PSI તરીકે કામ કરી રહ્યા છે.

Etv Bharat, Gujarati News, Sabarkantha News, Women's Day 2020
જાદર ખાતે ફરજ બજાવનારા કોમલ રાઠોડ કેન્સરને હરાવી બન્યા સફળ મહિલા PSI

By

Published : Mar 8, 2020, 5:38 AM IST

સાબરકાંઠાઃ 'મન હોય તો માળવે જવાય'ની યુક્તિ ચરિતાર્થ કરનારા સમાજમાં ઘણા લોકો હોય છે. ઠીક આવો જ પ્રયાસ સાબરકાંઠા જિલ્લા પોલીસના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કોમલ રાઠોડ નામના મહિલા PSIએ મનની મજબૂતાઈ તેમજ પરિવારના સાથ સહયોગ અને સહકાર થકી કેન્સરને હરાવ્યું છે અને આજની તારીખે કૅન્સરના દર્દીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યા છે.

જાદર ખાતે ફરજ બજાવનારા કોમલ રાઠોડ કેન્સરને હરાવી બન્યા સફળ મહિલા PSI

વર્ષ 2009માં એસઆરપી કોન્સ્ટેબલથી અનામ મહિલા PSI બનવા માટે સિલેક્ટ થઇ ચુકેલા કોમલ રાઠોડને ટ્રેનિંગ દરમિયાન જ કેન્સરની જાણ થતા માનસિક રીતે મજબૂત બની કિમોથેરાપી સુધી સારવાર લઈ ચૂક્યા હતા. તેમજ અમદાવાદની પ્રખ્યાત અપોલો હોસ્પિટલમાં ચાર મહિના સુધી સતત સારવાર મેળવી ચૂક્યા છે.

જોકે પરિવાર, પતિ તેમજ મિત્રો થકી ફરી એકવાર PSIની બાકી રહેલી ટ્રેનિંગ અમદાવાદના કરાઈ ખાતે પૂર્ણ કરી તેમજ 2015માં સાબરકાંઠા જિલ્લામાં પીએસઆઈ તરીકે નોકરી જોઈન્ટ કરી અને છેલ્લા પાંચ વર્ષથી સાબરકાંઠા જિલ્લામાં પોતાનું કામ પૂર્ણિમા તારી અને નીતિમત્તા સાથે કરી રહ્યા છે.

હાલમાં ઇડરના જવાબદાર પોલીસ મથકે પીએસઆઈ તરીકે નોકરી કરી રહેલા કોમલ રાઠોડનું માનવું છે કે, દુનિયામાં મજબૂત હોય તો કેન્સર તો શું દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમે નમાવી શકે અને કેન્સરના દર્દીઓ તેમજ કેન્સરગ્રસ્ત લોકો માટે પણ તેમનું કહેવું છે કે, મન મજબૂત હોય તો ગમે તેવો જંગ જીતી જવાય છે. કેન્સર એક સામાન્ય દર્દ છે જોકે તેની ગંભીરતા સમજી તેની પૂર્ણ સારવાર કરાવવી જરૂરી છે, પરંતુ તેના નામ માત્રથી જો ડર કે ભય પેદા થાય તો કેન્સર પહેલા તમે તમારી પોતાની જાતને કોઈ શકો છો માટે દુનિયામાં પરિવાર અને મિત્રોથી મોટો સહયોગ નથી માટે મનની મજબૂતાઈ થકી કોઈપણ જંગ જીતી જવાય છે અને મનની મજબૂતાઈ રાખવી તે પાયાનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના પગલે આજે કેન્સર જેવા રોગને પણ નાબૂદ કરવાની સાથે સાથે સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી જીવી શકાય છે. પોતાના પરિવાર સહિત અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે.

પોલીસનું નામ સાંભળતા જ કડકાઈ નીડરતા અને કઠોરતા સામાન્ય રીતે નજર સામે દેખાઈ આવે, પરંતુ ક્યારેક આપ કઠોર અને નીડર દેખાતા માનવી પાછળ ઘણો મોટો સંઘર્ષ પણ હોય છે. જો કે સંઘર્ષ સામે બાદ કરવામાં આવે તો આ જ સંઘર્ષ તમને સફળતાની ટોચે લઇ જાય છે. સાબરકાંઠા જિલ્લા પોલીસમાં મહિલા પીએસઆઈ તરીકે છેલ્લા પાંચ વર્ષથી સફર કામગીરી કરી રહેલા કોમલ રાઠોડ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા એ એવું જણાવ્યું હતું કે. કોઈપણ રોગ સામે નીડરતાથી અને મક્કમતાથી ટકી રહેવામાં આવે તો ગમે તેવા રોગને નાબૂદ કરી શકાય છે અને કોમલ રાઠોડે મહા રોગને દૂર કરી સમગ્ર જિલ્લાની પોલીસ માટે એક આદર્શ ઉદાહરણ બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details