ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સહિત સાબરકાંઠા માર્કેટયાર્ડમાં રવિ પાકનું વેચાણ શરૂ - સાબરકાંઠા ન્યૂઝ

સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા રવિ પાકના વેચાણ માટે તમામ APMC સેન્ટર ખાતે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના કોઈ પણ ખેડૂતને રવિ પાકના વેચાણ માટે APMC ખાતે ફોન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને APMCમાંથી ફોન આવ્યા બાદ પોતાના ખેતરોમાં વેચવા જવાનું રહેશે.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Apr 15, 2020, 3:12 PM IST

સાબરકાંઠાઃ કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર સહિત સાબરકાંઠા વહીવટી પ્રશાસન તંત્ર દ્વારા આજથી રવિ પાકના વેચાણ માટે તમામ APMC સેન્ટર ખાતે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના કોઈ પણ ખેડૂતને રવિ પાકના વેચાણ માટે APMC ખાતે ફોન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપીએમસી માંથી ફોન આવ્યા બાદ પોતાના ખેતરોમાં વેચવા જવાનું રહેશે.

ગુજરાત સહિત સાબરકાંઠામાં માર્કેટ યાર્ડમાં રવિ પાકનું વેચાણ શરૂ


સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડ આજથી ફરી કાર્યરત થયા છે જેમાં રવિપાકના વેચાણ માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ તબક્કાવાર મર્યાદિત ખેડૂતોને ફોન અથવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. વેચાણ માટે આવનાર ખેડૂતોએ ફરજીયાત માસ્ક પહેરવા અને (સોશ્યિલ ડિસ્ટન્સીંગ) સામાજિક અંતર જાળવવા સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલ દ્વારા ધરતીપુત્રોને અપીલ કરી છે. સાથોસાથ તમામ વેપારીઓની જગ્યા પહેલેથી જ ફિક્સ કરી દેવામાં આવી છે અને જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમિત કેસોની સંખ્યા ન વધે તે માટે તમામ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.

એક તરફ કોરોના વાઈરસની સંખ્યા મિત્રોની સંખ્યા વધતી જઈ રહી છે તેવા સમયે ખેડૂતોએ પોતાના પાકને APMC માર્કેટમાં વેચાણ અર્થે જવા માટે ગુજરાત સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સહયોગ કર્યો છે, ત્યારે હાલના તબક્કે આગામી સમયમાં આ મામલે ખેડૂતોની સ્થિતિ ગંભીર ન બને તે પણ જરૂરી છે.

જો કે, આગામી સમયમાં ખેડૂતો માટે વધુ છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા પણ રહેલી છે, ત્યારે આગામી દિવસોમાં કોરોના વાઈરસ અંતર્ગત કેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે તે પણ મહત્વનું બની રહે છે.

ABOUT THE AUTHOR

...view details