ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં વાવાઝોડા બાદ ખેડૂતોને થયું લાખોનું નુકસાન - Sabarkantha News

સમગ્ર રાજ્યમાં તૌકતે વાવાઝોડાને લઈ અનેક નુકસાન સામે આવ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ એની અસર જોવા મળી હતી. જિલલમાં ખેડૂતોએ પકવેલા પાક જમીન દોસ્ત થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

Farming News in Sabarkantha
Farming News in Sabarkantha

By

Published : May 19, 2021, 5:59 PM IST

  • તૌકતે વાવાઝોડાની વ્યાપક અસર
  • સાબરકાંઠા જિલ્લામાં ખેતી સહિત લાખોનું નુકસાન
  • નુકસાનીનો આંક વધે તેવી સંભાવના
  • જુવાર, બાજરી સહિતના પાકો નિષ્ફળ

સાબરકાંઠા : તૌકતે વાવાઝોડાને લઈ રાજ્યમાં અનેક પ્રકારે નુકસાનો સામે આવ્યા છે. ખેતીનો પાક હોય, ઝાડ હોય કે પછી કેટલાક વિસ્તારમાં કાચા મકાનોમાં નુકસાની જોવા મળી છે, ત્યારે મંગળવારે મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસવાને લઈ ખેતીના પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. જિલ્લાના ખેડૂતોએ મહા મુસીબતે તૈયાર કરેલા બાજરી, મગ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાન થવાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. મોંઘા બિયારણ અને રાસાયણિક દવા ખાતરની માવજત સાથે પકવેલા પાકો વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લઈ જમીન દોસ્ત થયા છે.

સાબરકાંઠા

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી

જિલ્લામાં થયેલા વિવિધ પાકનું વાવેતર

સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ 25,768 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું. જેમા બાજરી, મકાઈ, મગ, અડદ, તલ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. જેમાં બાજરીનું જિલ્લામાં 2,515 હેક્ટરમાં વાવેતર થયું છે. 3,196 હેક્ટરમાં મગનું વાવેતર થયું છે. તો ખેડૂતોએ 5,181 હેક્ટરમાં શાકભાજીના પાકોનું વાવેતર થયું છે.

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાએ અરવલ્લી જિલ્લાને ધમરોળ્યું

વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા

મંગળવારે મોડી રાત્રે વરસેલા વરસાદને લઈ ઉભા પાકો જમીન દોસ્ત થયા છે. સાથે જ શાકભાજીના ખેતરમાં પાણી ભરાવાને લઈ શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે. ખેડૂતોએ ચાલુ સીઝનમાં બાજરીના પાકમાં આઠથી દસ હજાર રૂપિયા ખર્ચે પાક તૈયાર કર્યો હતો, પરંતુ પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે અને બાજરીના પાકમાં 20 હજાર રૂપિયા જેટલું એક વિઘે નુકસાન થયું છે. તો સાથે જ શાકભાજીમાં પણ 40થી 50 હજાર રૂપિયાનું એક વિઘે નુકસાન વર્તાયું છે, ત્યારે હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે.

સાબરકાંઠામાં વાવાઝોડા બાદ ખેડૂતોને થયું લાખોનું નુકસાન

આ પણ વાંચો : વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન

સરકાર ખેડૂતોની વારે આવશે કે પછી ખેડૂતોએ નુકશાનીનો માર સહન કરવો પડશે ?

એક તરફ ખેડૂતો મોંઘવારીના માર પણ સહન કરી મહા મુસીબતે પાક તૈયાર કર્યો હતો. તો બીજી તરફ કુદરતી કહેરને લઈને ફરી એક વાર ખેડૂતોએ નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો પણ સરકાર સામે સહાયની આશા સેવી રહ્યા છે. સરકાર ખેડૂતોની વારે આવશે કે પછી ખેડૂતોએ નુકશાનીનો માર સહન કરવો પડશે એ તો અગામી સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details