સાબરકાંઠા: જિલ્લામાં કોરોનાનો વ્યાપ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અનલોક-2ના અમલ પછી સાબરકાંઠા જિલ્લામાં આવેલ મોટા 52 અને અન્ય નાના ઔધોગિક એકમો ધમધમતા થયા છે. પરંતુ તેની સાથે તેમને કોરોના સંક્રમણને અટકાવવા એકમના સ્થળે સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તથા ફરજિયાત માસ્કનો ઉપયોગ થાય છે કે નહીં, તેની મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠામાં 52 જેટલી કંપનીઓમાં તપાસ હાથ ધરાઇ - સાબરકાંઠાના ઔધાગિક એકમોમાં
કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની આરોગ્ય વિષયક સેવાઓ સુનિશ્ચિત કરવા મહેસૂલ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા 52 જેટલી ઔદ્યોગિક એકમોમાં તપાસ હાથ ધરાઇ હતી.
કામદારોને કામના સ્થળે તેમના સ્વાસ્થ્યની દરકાર રખાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સૂચનાઓ અમલી બનાવી છે. જેનો અમલ સાબરકાંઠાના ઔદ્યોગિક એકમોમાં થાય છે કે નહીં તેની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને ઇડર તાલુકાના કુલ 52 ઔધોગિક એકમોની મુલાકાત કરી હતી.
જ્યાં કોરોનાના સંક્રમણથી બચવા ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો કામના સમયે માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ ઉપયોગ તથા કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન થાય છે કે, કેમ તેની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી.