હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીના થેરાસણાં ગામે વેવાઈ વેવાણની ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં ખેડબ્રહ્માના તાલુકાના દિધીયા ગામની સીમમાંથી લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાં વેવાઈ વેવાણના ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા મૃતદેહ, હત્યા કે આત્મહત્યા? - વેવાઈ વેવાણ આત્મહત્યા
સાબરકાંઠામાં વડાલીના થેરાસના ગામે સંબંધોને શરમાવે તેવી ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. વડાલીના થેરાસના ગામે વેવાઈ વેવાણ છ દિવસ પહેલા ઘરેથી ફરાર થયા હતાં. મંગળવારે ખેડબ્રહ્માના આગીયા ગામેથી બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

sabarkantha
નોંધનીય છે કે આવો જ બનાવ સુરતમાં પણ બન્યો હતો. જેની ચર્ચા સમગ્ર ગુજરાત સહિત દેશમાં પણ ફેલાઈ હતી. પોલીસે આ મામલે પૂર્ણ ગંભીરતાથી હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ કરી છે. હાલમાં પોલીસે બંને મૃતદેહોને ખેડબ્રહ્મા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.