- સાબરકાંઠામાં કોરોના વેક્સિન પહોંચી
- વેક્સિન આવતા જ વહીવટી તંત્ર લાગ્યું કામે
- ૧૬મી જાન્યુઆરીથી જિલ્લામાં 9 જગ્યાએ અપાશે વેક્સિન 16 હજારથી વધારે સ્ટાફનું ભવિષ્ય કોરોના મામલે સુરક્ષિત
સાબરકાંઠા:સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ને પગલે લાખો લોકો સંગઠિત બન્યા છે. તેમજ હજી પણ દિનપ્રતિદિન પણ યથાવત્ રહેતા વિશ્વની આશા ઉપર ટકેલી છે. ત્યારે ભારતની સ્વદેશી બનાવટની વેક્સિનેશનનો 16000 થી વધારેનો જથ્થો સાબરકાંઠાના હિમતનગર ખાતે આવી પહોંચતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે જિલ્લામાં પ્રથમ ચરણમાં 9 જગ્યાએથી જિલ્લાના તમામ મેડીકલ તેમજ આરોગ્ય કર્મીઓની પ્રથમ તબક્કામાં આપવામાં આવશે.ત્યારબાદ તબક્કાવાર જિલ્લામાં બાકી રહેલા લોકોને પણ વેક્સિન પહોંચાડવામાં આવશે.
16 હજારથી વધારે કર્મીઓ કોરોના મામલે સુરક્ષિત બનશે
કોરોનાનો જથ્થો સાબરકાંઠા પહોંચતા સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કામ કરતાં તમામ કર્મીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને સૌથી પ્રથમ સાબરકાંઠા જિલ્લાના 16000 જેટલા વ્યક્તિઓને જ આરોગ્ય કર્મીઓની આપવાનો છે. ત્યારે દિન-પ્રતિદિન કોરોના સંક્રમિત લોકોની વચ્ચે રહેનારા સમગ્ર તાપમાન ખુશીનો માહોલ છવાયો છે. આ તબક્કે કોરોના સૌથી પ્રથમ આરોગ્ય કર્મીઓને આપવાનો નિર્ણય લેવાયો છે. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા જથ્થો આગામી સમયમાં છેવાડાના વ્યકતિને કોરોના સંક્રમણથી બચવા માટે જરૂરી બની રહેશે.