સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે બેંક ઓફ બરોડાના 113મા સ્થાપના દિન નિમિત્તે આરસેટી તાલીમ સંસ્થામાં જિલ્લા સમાહર્તા સી. જે. પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 113 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ક્લેક્ટર સી. જે. પટેલે વૃક્ષારોપણ કરી નાગરિકોને તેનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વૃક્ષો સંતો જેવા છે જે હંમેશા અન્યને આપવા તત્પર હોય છે. વૃક્ષો પશુ-પક્ષીઓનું રહેઠાણ છે, તેમને ખોરાક પુરો પાડે છે. વૃક્ષો ઓક્સિજન અને વરસાદ આપે છે. વૃક્ષો ઘટવાથી વરસાદ ઓછો પડી રહ્યો છે અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે. જેના લીધે ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યા છે. જે માનવ જાતિ માટે સંહારક છે.