ગુજરાત

gujarat

ETV Bharat Impact: ગોંડલના મનોદિવ્યાંગ બાળકોના પરિવારને તંત્ર દ્વારા વ્હીલચેર અર્પણ કરાઇ

રાજકોટ: એક બાજુ છેવાડાના માનવી સુધી સરકાર સહાયતા પહોંચાડવાની વાતો કરે છે. તો બીજી તરફ ઘણા કિસ્સાઓમાં છેવાડાના માનવી સુધી સરકારની યોજના કે, યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોચતો નથી. આવું જ કાંઈક બન્યું છે, ગોંડલમાં ભિક્ષાવૃતિ કરીને પોતાના પરિવારના નવ જેટલા મનોદિવ્યાંગ બાળકોનું ભરણપોષણ કરતા સરાણીયા પરિવાર સાથે.

By

Published : Nov 29, 2019, 12:39 AM IST

Published : Nov 29, 2019, 12:39 AM IST

ETV Bharat Impact
ગોંડલના મનોદિવ્યાંદ બાળકો

ગોંડલમાં છેલ્લા ઘણાં વર્ષોથી રહેતા ગરીબ રત્નાભાઈ અને દુધીબેનના પરિવારમાં 9 જેટલા બાળકો મનોદિવ્યાંગ હોવાની સાથે તેમનો ઉછેર ભિક્ષાવૃતિ કરીને કરવામાં આવતો હોવાના અહેવાલો અખબારો અને મીડિયામાં ચમક્યા હતાં.

ગોંડલના મનોદિવ્યાંદ બાળકો

ગોંડલ નગરપાલિકા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સન્ડે સલામ ડેના કાર્યક્રમ દરમિયાન આ કિસ્સો બહાર આવતા ખૂદ પાલિકા સદસ્ય પણ ચોંકી ઉઠ્યાં હતાં. આ બનાવની જાણ સમાજ સુરક્ષા વિભાગ સહિતનાઓને કરી હતી. જેમને કારણે અધિકારીઓ મનોદિવ્યાંગ પરિવારની મુલાકાતે દોડી આવ્યા હતાં. આ સાથે જ તેમને સરકારની વિવિધ સહાય ચૂકવવાની ખાત્રી આપી હતી.

આ પણ વાંચો...ગોંડલ પરિવારના 9 મનોદિવ્યાંગોને વૃદ્ધ દંપતી ભિક્ષા માગી ઉછેરવા મજબૂર

ABOUT THE AUTHOR

...view details