કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ કહ્યું વરસાદના કારણે નુકસાની ભોગવનાર ખેડૂતોના પડખે સરકાર - news updates of rajkot
રાજકોટ: શનિવારે કેન્દ્રિય પ્રધાન પુરષોતમ રુપાલા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ વર્ષે અતિ વરસાદના પગલે ખેડુતોમાં નિરાશા છવાઈ છે. ત્યારે પુરષોતમ રુપાલાએ રાજકોટવાસીઓને સાંત્વના આપી હતી કે આ સરકાર તમામ ખેડૂતોની પડખે છે.

કેન્દ્રીયપ્રધાનનું રાજકોટમાં નિવેદન, વરસાદના કારણે નુકશાની ભોગવનાર ખેડૂતોના પડખે સરકાર
આ વર્ષે રાજ્યમાં વધુ વરસાદ આવવાના કારણે જે પણ ખેડૂતોને નુકશાન થયું છે એ અંગે પુરષોતમ રુપાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે પણ સર્વે કરવામાં આવ્યો છે. તે મુજબ કેન્દ્ર સરકાર કામ કરશે. તેમજ આ વર્ષે વરસાદ સારો થયો છે. જેને લઈને ખેડૂતોને રવિ પાકમાં ખુબજ ફાયદો થશે. કેન્દ્ર સરકાર આવી પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે જ છે.
કેન્દ્રીયપ્રધાનનું રાજકોટમાં નિવેદન, વરસાદના કારણે નુકશાની ભોગવનાર ખેડૂતોના પડખે સરકાર