રાજકોટઃ સૌરાષ્ટ્રનું પાટનગર એવું રંગીલું રાજકોટ જાણે ક્રાઈમ નગરી બની રહ્યું હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બુધવારે મોડીરાત્રે એક યુવાનની છરીના ઘા વડે હત્યા નિપજાવવામાં આવી હતી.
રાજકોટમાં રોણકી ગામે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હત્યાનું કારણ અકબંધ - The cause of the murder is intact
સૌરાષ્ટ્રનું પાટનગર એવું રંગીલું રાજકોટ જાણે ક્રાઈમ નગરી બની રહ્યું હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. રોણકી ગામે યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ ઘટનાનું કારણ બહાર આવ્યું નથી.

રાજકોટમાં રોણકી ગામે યુવાનની છરીના ઘા મારી હત્યા
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા રોણકી ગામે રહેતા અશોક છગનભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવકને અનિલ કેશુભાઈ ઝીંઝુવાડિયા નામના ઇસમે હતી.જેમાં યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ હત્યા કરનાર આરોપી ત્યાથી ભાગી છૂટ્યો હતો. આ હુમલા દરમિયાન અશોક સૂતો હતો.
મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવતા રાજકોટની ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ હજુ સુધી યુવાનની હત્યાનું કારણ બહાર આવ્યું નથી. જે તપાસ બાદ બહાર આવશે.