ગુજરાત

gujarat

By

Published : Nov 27, 2020, 1:18 PM IST

ETV Bharat / state

Exclusive: રાજકોટમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા મનપાની કાર્યવાહી અંગે મેયર સાથે ખાસ વાતચીત

ગુજરાતમાં દિવાળી પર્વ બાદ એકાએક કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે પ્રથમ અમદાવાદ, ત્યારબાદ બરોડા, સુરત અને રાજકોટ જેવા ચાર મહાનગરોમા રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. જેનો હાલમાં ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ મનપાની કામગીરીને લઈને ETV BHARAT દ્વારા આ અંગે રાજકોટમાં મેયર બીનાબેન આચાર્ય સાથે ખાસ વાતચીત કરવા આવી હતી.

rajkot
રાજકોટ

  • રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા મનપાની કાર્યવાહી
  • ETV BHARAT દ્વારા મેયર સાથે ખાસ વાતચીત
  • 7 જગ્યાએ કોરોના ટેસ્ટ માટે બુથ ઉભા કરાયા


રાજકોટ: ગુજરાતમાં દિવાળી પર્વ બાદ એકાએક કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે પ્રથમ અમદાવાદ, ત્યારબાદ બરોડા, સુરત અને રાજકોટ જેવા ચાર મહાનગરોમા રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું છે. જેનો હાલમાં ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી મોટાભાગના સૌરાષ્ટ્રના લોકો અહીં કોઈને કોઈ કામ માટે આવતા જતા હોય છે. ત્યારે રાજકોટ મનપાની કામગીરીને લઈને ETV BHARAT દ્વારા આ અંગે રાજકોટમાં મેયર બીનાબેન આચાર્ય સાથે ખાસ વાતચીત કરવા આવી હતી.

રાજકોટમાં 7 જગ્યાએ કોરોના ટેસ્ટ માટે બુથ ઉભા કરાયા

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે અલગ અલગ 7 જગ્યાએ જ્યાં સૌથી વધુ ભીડ હોય અને લોકોની અવર જવર હોય તેવી 7 જગ્યાએ કોરોના ટેસ્ટ માટે બુથ ઉભા કરવામાં આવ્યા છે. જેનો શહેરીજનો દ્વારા હાલ મોટા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે. જ્યારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી અને ગોંડલચોકડી જે એન્ટ્રી પોઇન્ટ છે, ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને જો તે પોઝિટિવ આવે તો તેની સમયસર સારવાર થઈ શકે અને સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે.

Exclusive: રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા મનપાની કાર્યવાહી અંગે મેયર સાથે ખાસ વાતચીત
ઘરે ઘરે જઈને લોકોનો કરવામાં આવી રહ્યો છે સર્વેજ્યારે દિવાળી પહેલા રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો હતો, તે દરમિયાન મનપાની ટીમ દ્વારા લોકોનું ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવતો હતો અને સ્ક્રિનિંગ, આરોગ્ય ચકાસણી કરવામાં આવતી હતી. તે પ્રક્રિયા હાલ ફરી શરૂ કરવામાં આવી રહી છે. જેને લઈને જો કોઈ પણ પોઝિટિવ દર્દી જણાય તો તેને હોમ આઇસોલેશન અથવા હોસ્પિટલમાં ખસેડી શકાય છે. જ્યારે મનપા દ્વારા એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે, શહેરમાં જે પણ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો તેના ઘરના તમામ સભ્યોનો પણ ફરજિયાત કોરોના રિપોર્ટ કરાવવો જરૂરી છે.ધન્વંતરિ રથ અને 104 આરોગ્ય સેવા સતત શરૂઅમદાવાદ, બરોડા, સુરત કરતા રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેદ ઓછા છે. છતાં મનપા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં સત્તત ધન્વંતરિ રથ દ્વારા ઉકાળા આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે 104ની આરોગ્ય સેવા દ્વારા સામાન્ય શરદી, ઉધરસ, તાવની દવા આપવામાં આવે છે. જેનો પણ બહોળી સંખ્યામાં રાજકોટ વાસીઓ લાભ લઇ રહ્યા છે. જેને લઈને રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં અગાઉ જે કોરોનાની પરિસ્થિતિ હતી તેની સ્થિતિ હાલ સુધરી હોવાનું પણ મેયર બીનાબેન આચાર્ય દ્વારા જણાવામાં આવ્યું હતું.રાજકોટમાં દરરોજ જોવા મળે છે 70થી વધુ કોરોનાના પોઝિટિવ કેસરાજકોટમાં દરરોજ બપોરે 12 વાગ્યા સુધીમાં 25થી 35 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય છે. જ્યારે સાંજે 50થી 60 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય છે. આમ શહેરમાં એક દિવસમાં દરરોજ હાલ 70 થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે દિવાળી દરમિયાન સૌથી વધુ જે જગ્યાએ લોકોની ભીડ એકથી થઈ હતી. તે વિસ્તારમાંથી હાલ સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યાં મનપા દ્વારા હાલ વધુમાં વધુ કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.મેયર બીનાબેન આચાર્યની શહેરીજનોની અપીલરાજકોટના મેયર બીનાબેન આચાર્યએ ETV BHARAT સાથેની વાતચીતમાં શહેરીજનોને અપીલ કરી હતી કે, લોકો હજુ પણ કોરોના પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, જેનું આ પરિણામ છે. તે માટે તેઓ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સેનેટાઇઝરનો વારંવાર ઉપયોગ કરે અને અગત્યના કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળે. જેથી તેઓ અને તેમનો પરિવાર હાલ કોરોના સંક્રમણથી બચી શકે છે.

ABOUT THE AUTHOR

...view details