રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીના કારણે વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. ત્યારે હજુ પણ ભારતમાં કોરોના સતત પોઝિટિવ કેસમાં વધારો થયો છે. હાલ અનલોક 2 જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અનલોક 2માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જેને લઇને કોરોના વાઇરસ ખૂબ જ સહેલાઈથી ફેલાઈ રહ્યો છે.
હાલ રાજ્યમાં તહેવારોનો માહોલ શરૂ થયો છે. જેમાં જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં ભરાય છે. આ મેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. 5 દિવસ સુધી યોજાનારો મેળામાં રોજના અંદાજીત 5 થી 10લાખ લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાના કારણે વહીવટી તંત્ર દ્વારા રાજકોટનો વિખ્યાત લોકમેળો નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.