ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં RNBના સર્ટિફિકેટ વગર રાઈડ્સ ચાલુ નહીં કરાય, કમિશ્નરના અપાયા આદેશ

રાજકોટઃ અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ દુર્ઘટનામાં બે લોકોના જીવ ગયા છે અને 26થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે તંત્ર સતર્ક થયું છે. રાજકોટ મનપા કમિશ્નર દ્વારા શહેરમાં આ પ્રકારની રાઈડ્સ ધરાવતા સંચાલકોને રાઈડ્સનું મિકેનિકલ મેન્ટેનન્સ કરવા સુચના અપાઈ છે. ઉપરાંત કોર્પોરેશનમાંથી RNB સર્ટિફિકેટ લીધા પછી જ રાઇટ્સ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

By

Published : Jul 16, 2019, 9:20 AM IST

રાજકોટમાં RNBના સર્ટિફિકેટ વગર રાઈડ્સ ચાલુ નહીં કરાય

ETV Bharat દ્વારા રાજકોટની મધ્યમાં આવેલ રેસકોર્સ સ્થિતિ ફનવર્લ્ડના સંચાલક પ્રદિપસિંહ ઝાલા સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટ સ્થિત ફનવર્લ્ડની રોજબરોજના 400થી વધુ લોકો મુલાકાત લે છે. અહીં અમદાવાદ જેવી ઘટના ન સર્જાય તે માટે ક્યાં પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. તે અંગેની માહિતી સંચાલક દ્વારા આપવામાં આવી હતી.

રાજકોટમાં RNBના સર્ટિફિકેટ વગર રાઈડ્સ ચાલુ નહીં કરાય

ABOUT THE AUTHOR

...view details