રાજકોટઃ જિલ્લામાં હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે રાજકોટમાં પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જિલ્લાઓમાં સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવા અંગે રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી અને રાજકોટમાં અગાઉ સસ્પેન્ડ થયેલા PSI, ASI, હેડ કોન્સ્ટેબલ સહિતના કુલ 9 જેટલા પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના 10 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને રાજકોટના આરોગ્ય તંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે. આ સાથે જ 21 દિવસના લોકડાઉનને પણ સફળ બનાવવા માટે પોલીસ કર્મીઓ પણ દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે.