ગુજરાત

gujarat

By

Published : Jan 26, 2020, 11:47 PM IST

ETV Bharat / state

રાજકોટ ખાતે મોરારીબાપુએ માંધાતાસિંહજીને આપ્યા આર્શિવાદ

મોરારીબાપુએ રાજકોટના નવા રાજવી બનનાર માંધાતાસિંહજીને આશિર્વાદ આપ્યા હતા. મોરારીબાપુએ કહ્યું કે, રાજ્યારોહણ થઈ રહ્યું છે તેનો મને આનંદ છે. ફળ જોઈને ખબર પડે કે ઝાડ કેવું હશે. આ રાજ તિલકની વિધિ જોઈને હું કલ્પના કરી શકું છું કે, જૂની પરંપરા કેટલી ભવ્ય હશે.

morari bapu gave blessing to mandhashinh in rajkot
રાજકોટ ખાતે મોરારીબાપુએ માંધાતાસિંહજીને આપ્યા આર્શિવાદ

રાજકોટઃ રાજકોટના 17માં રાજા તરીકે માંધાતાસિંહજીનો આગામી 30મી જાન્યુઆરીએ રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે. જેને લઇને 27 તારીખથી ત્રણ દિવસ સુધી રાજકોટમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે.

રાજકોટ ખાતે મોરારીબાપુએ માંધાતાસિંહજીને આપ્યા આર્શિવાદ

રવિવારે વિખ્યાત કથાકાર મોરારીબાપુએ પણ રાજપેલેસ ખાતે માંધાતાસિંહજી સાથે મુલાકાત કરી હતી. રાજતિલક પૂર્વે માંધાતાસિંહે મોરારીબાપુના આશિર્વાદ લીધા હતા.

મોરારી બાપુએ ગદ્ય અંદાજમાં જણાવ્યું કે, રાજાશાહી નથી રહી, પણ રાજાઓની ખાનદાની હજૂ ગઈ. જેનો રાજીપો હું વ્યક્ત કરૂ છું.

ABOUT THE AUTHOR

...view details