નર્મદા ડેમથી ગુજરાત ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યું: મનસુખ માંડવીય - Gujarat Dark Zone Narmada Scheme
રાજકોટ: કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા આજે રવિવારના રાજકોટના પ્રવાસે હતા. ત્યારે તેમને નર્મદા ડેમની સપાટી હાલ 138 મીટર પર પહોંચી હોવા અંગે નિવેદન આપયું હતું.
![નર્મદા ડેમથી ગુજરાત ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યું: મનસુખ માંડવીય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4449954-thumbnail-3x2-rajko.jpg)
Mansukh mandviya
વડાપ્રધાન મોદીના કારણે નર્મદા ડેમના દરવાજા ચડાવવાની મંજૂરી મળી ત્યાર પછી નર્મદા ડેમ હાલ 138 મીટરની ફૂલ સપાટી સુધી ભરાયો છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે, અને નર્મદાના માધ્યમથી રાજ્યમાં 1 લાખ 15 હજાર કિલોમીટર સુધી પાણીની પાઇપ લાઈન દ્વારા રાજ્યના 6 હજાર જેટલા ગામોને પીવાનું પાણી હાલ મળી રહ્યું છે. અને ગુજરાત ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી 17 તરીકે આ ઉત્સવ ઉજવવા માટેનું આયોજન કર્યું છે.
નર્મદા યોજનાથી ગુજરાત ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યું- મનસુખ માંડવીય