ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ: "સૌની યોજના" અને નર્મદાના નીરથી ભરઉનાળે વેરી તળાવ છલકાયું - રાજકોટ ન્યૂઝ

ગોંડલમાં ભર ઉનાળે સૌની યોજના અને નર્મદાના નીરથી વેરી તળાવ ઓવરફ્લો થયું છે. જેનાથી ગોંડલ શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે.

ગોંડલમાં ભર ઉનાળે સૌની યોજના થકી નર્મદાના નિરથી વેરી તળાવ ઓવરફ્લો
ગોંડલમાં ભર ઉનાળે સૌની યોજના થકી નર્મદાના નિરથી વેરી તળાવ ઓવરફ્લો

By

Published : Apr 17, 2020, 6:48 PM IST

રાજકોટઃ ગોંડલમાં ભર ઉનાળે સૌની યોજના થકી નર્મદાના નીરથી વેરી તળાવ ઓવરફ્લો થયું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અથાક પ્રયત્નને કારણે ભર ઉનાળે ગોંડલની જીવાદોરી સમાન "વેરી તળાવ" સૌની યોજના અંતર્ગત ઓવર ફ્લો થયું છે, ગોંડલનો પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે.

ગોંડલમાં ભર ઉનાળે સૌની યોજના થકી નર્મદાના નિરથી વેરી તળાવ ઓવરફ્લો

નર્મદાના નીરના વધામણાં કરવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, વોટર વર્કસ ચેરમેન અનિલભાઈ માધડ હાજર રહ્યા હતા.

ગોંડલમાં ભર ઉનાળે સૌની યોજના થકી નર્મદાના નિરથી વેરી તળાવ ઓવરફ્લો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details