રાજકોટમાં ભાજપ અગ્રણીની ગનમાંથી ફાયરિંગ - rajkot crime
રાજકોટઃ માનસરોવર પાર્કમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વેરાવળના ભાજપ અગ્રણી અને સોની વેપારી અરવિંદ રાનિંગાની લાયસન્સ વાળી ગનમાંથી અચાનક કર્મ ફાયરિંગ થયું હતું. જેમાં કર્ણ ડ્રાઈવરને ઇજા થઈ છે.
![રાજકોટમાં ભાજપ અગ્રણીની ગનમાંથી ફાયરિંગ Firing from guns of BJP leader in Rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6216172-1043-6216172-1582739886445.jpg)
Firing from guns of BJP leader in Rajkot
આ અચાનક ફાયરિંગ કઈ રીતે થયું છે, તેની સામે સવાલો ઉભા થયા છે. હાલ ફાયરિંગમાં ઘાયલ થયેલા ડ્રાઈવરને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા ફાયરિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરીને ભાજપ અગ્રણીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી છે.