ગુજરાત

gujarat

રાજકોટમાં આજથી કોરોના વેક્સીન માટે ડ્રાયરન શરૂ

By

Published : Dec 29, 2020, 12:26 PM IST

Updated : Dec 29, 2020, 12:36 PM IST

કોરોના મહામારી માટેની કોરોના વેકસીનની બજારમાં આવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોના વેકસીન આવે ત્યારે તેને કેવી રીતે નાગરિકોને આપવી તે માટે દેશમાં ચાર સ્થળોએ કોરોના વેક્સીન આપવા માટેનો ડ્રાયરન યોજાયો છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. જેને લઈને આજે રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા 5 સ્થળોએ ડ્રાયરન યોજવામાં આવ્યો હતો.

મં
મં

  • કોરોના વેકસીનની બજારમાં આવવાની તૈયારીઓ શરૂ
  • રાજકોટમાં આજથી કોરોના વેક્સીન માટે ડ્રાયરન શરૂ
  • વેક્સીન આપ્યા બાદ 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રખાશે

રાજકોટઃ કોરોના મહામારી માટેની કોરોના વેકસીનની બજારમાં આવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોના વેકસીન આવે ત્યારે તેને કેવી રીતે નાગરિકોને આપવી તે માટે દેશમાં ચાર સ્થળોએ કોરોના વેક્સીન આપવા માટેનો ડ્રાયરન યોજાયો છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. જેને લઈને આજે રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા 5 સ્થળોએ ડ્રાયરન યોજવામાં આવ્યો હતો.

SMS દ્વારા ક્યાં સેન્ટર ખાતે આવવું તે જાણકારી અપાશે

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીન માટે આવનાર લાભાર્થીઓને એક દિવસ અગાઉ જ SMS દ્વારા જાણ કરવામાં આવશે કે તેઓને ક્યાં સેન્ટર ખાતે વેકસીન માટે જવાનું છે. ત્યાર બાદ બીજા દિવસે સવારે આ લાભાર્થી કોરોના વેક્સીન માટે આવે ત્યારે પ્રથમ તેમને જે SMS મોકલવામાં આવ્યો હોય તે આરોગ્ય કેન્દ્ર ખાતે ચકાસવામાં આવશે અને ત્યારબાદ તેમને આ કેન્દ્ર ખાતે પ્રવેશ આપવામાં આવશે.

રાજકોટમાં આજથી કોરોના વેક્સીન માટે ડ્રાયરન શરૂ
ડોક્યુમેન્ટની ચકાસણી અને સૉફ્ટવેરમાં એન્ટ્રી થશેજે પણ લાભાર્થીઓ કોરોના વેક્સીન માટે આરોગ્ય કેન્દ્ર ખાતે આવશે તેમના SMSની ચકાસણી બાદ તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે આધાર કાર્ડની ચકાસણી કરાશે તેમજ આ લાભાર્થીની એન્ટ્રીની વિગતો આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારના સોફ્ટવેરમાં કરવામાં આવશે. તેમજ તેને કોરોના વેક્સીન આપવામાં આવશે. આમ આ પ્રક્રિયા કરવામાં આવશે.વેક્સીન આપ્યા બાદ 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રખાશેઆરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેકસીન આપ્યા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી આરોગ્ય કેન્દ્ર ખાતે જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેમજ એ તપાસવામાં આવશે કે કોરોના વેક્સીન આપ્યા બાદ આ લાભાર્થીને કોઈ આડઅસર થઈ છે કે કેમ, જો આવું ન થયું હોય તો તેને ત્યારબાદ ઘરે જવા દેવામાં આવશે. લાભાર્થીનું ઘરે ગયા બાદ પણ મોનીટરીંગ કરવામાં આવશે.
Last Updated : Dec 29, 2020, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details