ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ, 12 ફેબ્રુઆરી સુધી આટલા ટ્રેન રુટ પર અસર થશે

રાજકોટ રેલવે ડિવિઝનમાં કેટલાક ટ્રેક પર ડબલ ટ્રેક બનાવવાનું કામ (Double Track Work in Rajkot Division )ચાલી રહ્યું છે. ટ્રેક ડબલિંગ વર્કને લઇને રાજકોટ તરફ જતીઆવતી કેટલીક ટ્રેનની આવનજાવન પર અસર (Railway facilities Delay till February 12 )પડશે. જેમાં ઘણી ટ્રેનો સંપૂર્ણ રદ કરવાની તેમજ ઘણી ટ્રેનો આંશિક રીતે રદ થશે તેવી જાહેરાત (Rajkot Railway Division Block )કરવામાં આવી છે.

By

Published : Jan 31, 2023, 6:09 PM IST

રાજકોટ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ, 12 ફેબ્રુઆરી સુધી આટલા ટ્રેન રુટ પર અસર થશે
રાજકોટ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ, 12 ફેબ્રુઆરી સુધી આટલા ટ્રેન રુટ પર અસર થશે

રાજકોટ રાજકોટ રેલવે ડિવિઝનમાં કેટલાક ટ્રેક પર ડબલ ટ્રેક બનાવવાનું કામ હોવાના કારણે બ્લોક લેવામાં આવશે. રાજકોટના રેલવે ડિવિઝન વિભાગમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામના કારણે રેલવે વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવતા રેલ વ્યવહાર પર અસર પડશે જેમાં ઘણી ટ્રેનો સંપૂર્ણ રસ કરવાની તેમજ ઘણી ટ્રેનો આંશિક રીતે રદ થશે તેવી જાહેરાત કરી છે. જાણો ટ્રેન રુટ પર અસરની સમગ્ર માહિતીઓ આ અહેવાલમાં.

બ્લોક લેવાશે : રાજકોટ તરફ જતીઆવતી કેટલીક ટ્રેનની આવનજાવન પર અસર થવાની છે તેનું કારણ એ છે કેબિલેશ્વર-રાજકોટ રેલવે સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ત્યારે આ બાબતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડી.સી.એમ. સુનીલકુમાર મીના દ્વારા જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

આ પણ વાંચો ગુજરાતમાં સૌપ્રથમ પાલનપુરથી ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર પર માલગાડીનો થયો પ્રારંભ, વેપારીઓ માટે ભેટ

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનોની વિગતો : ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 03-02-2023 થી 11-02-2023 સુધી રદ. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 04-02-2023 થી 12-02-2023 સુધી રદ. ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 07-02-2023 થી 11-02-2023 સુધી રદ. ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 07-02-2023 થી 11-02-2023 સુધી રદ. ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 06-02-2023 થી 11-02-2023 સુધી રદ. ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 07-02-2023 થી 12-02-2023 સુધી રદ. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11-02-2023 ના રોજ રદ અને ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12-02-2023 ના રોજ રદ કરવામાં આવી છે.

આંશિક રદ કરાયેલી ટ્રેનો : ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 02-02-2023 થી 10-02-2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 03-02-2023 થી 11-02-2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને 02-02-2023 થી 10-02-2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 03-02-2023 થી 11-02-2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચો બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા ઉપરથી ઉતરી, અનેક ટ્રેનો ડાયવર્ટ

અમદાવાદ અને મુંબઇની ટ્રેનો : ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03-02-2023 થી 11-02-2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03-02-2023 થી 11-02-2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને 06-02-2023 થી 10-02-2023 સુધી બાંદ્રાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને 07-02-2023 થી 10-02-2023 સુધી વાંકાનેરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 06-02-2023 થી 10-02-2023 સુધી બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 07-02-2023 થી 11-02-2023 સુધી સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસને 06-02-2023 ના રોજ રીવાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો : ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ 09-02-2023 ના રોજ ઓખાથી 3 કલાક મોડી ઉપડશે. ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ 10-02-2023 ના રોજ જબલપુરથી 8 કલાક મોડી ઉપડશે. ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 11-02-2023 ના રોજ વેરાવળથી 7 કલાક મોડી ઉપડશે. ટ્રેન નં. 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 11-02-2023 ના રોજ વેરાવળ 7 કલાક મોડી ઉપડશે. ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 11-02-2023 ના રોજ ઓખાથી 6 કલાક મોડી ઉપડશે. ટ્રેન નંબર 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 11-02-2023 ના રોજ ઓખાથી 9 કલાક મોડી ઉપડશે.

માર્ગમાં મોડી થનાર ટ્રેનો : ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ 11-02-2023 ના રોજ જામનગર-રાજકોટ વચ્ચે 30 મિનિટથી 45 મિનિટ સુધી મોડી થશે. ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 11-02-2023 ના રોજ હાપા-રાજકોટ વચ્ચે 30 મિનિટથી 45 મિનિટ સુધી મોડી થશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 11-02-2023 ના રોજ પોરબંદર- રાજકોટ વચ્ચે 15 મિનિટથી 30 મિનિટ સુધી મોડી થશે.

31-01-2023 થી 11-02-2023 દરમિયાન મોડી ચાલનાર ટ્રેનોની વિગતો : મંગળવારે ટ્રેન નં. 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગ માં 2 કલાક 30 મિનિટથી મોડી પડશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે. બુધવારે ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે. શુક્રવારે ટ્રેન નંબર 5045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.

રાજકોટ ડિવિઝન અધિકારીનો અનુરોધ :રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે. જેથી કરીને કોઈ અસુવિધા ન થાય તે અંગે નોંધ લે તેમ પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details