ગુજરાત

gujarat

AAP પાર્ટીના જાહેરસભા પહેલા ઉમેદવાર વિરૂદ્ધ બેનરો લાગતા રાજકીય માહોલ ગરમાયો

By

Published : Oct 28, 2022, 6:41 PM IST

રાજકોટ જિલ્લાના ધોરાજી વિધાનસભા માટે જાહેર થયેલા વિરોધ વધ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ધોરાજી વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખીયા વિરુદ્ધ આમ આદમી પાર્ટીના સુપ્રીમો તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ધોરાજી ખાતે આવે (AAP Party Public Meeting) તે પહેલા બેનરો (Banners were hoisted against the candidate) લાગ્યા હોવાનું સામે આવ્યું છે. જુઓ આ અહેવાલમાં.

AAP પાર્ટીના જાહેરસભા પહેલા ઉમેદવાર વિરૂદ્ધ બેનરો લાગતા રાજકીય માહોલ ગરમાયો
AAP પાર્ટીના જાહેરસભા પહેલા ઉમેદવાર વિરૂદ્ધ બેનરો લાગતા રાજકીય માહોલ ગરમાયો

રાજકોટગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) નજીક આવી રહી છે. ત્યારે ધોરાજી ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારવિરુદ્ધ ધોરાજી તેમજ ઉપલેટા તાલુકા વિસ્તારોની અંદર બેનરો(Banners within Upaleta Taluka Areas) લાગ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં કેજરીવાલ સાહેબ જિંદાબાદ અને વિપુલ સખીયા મુર્દાબાદના બેનરની અંદર સ્લોગન લખવામાં આવ્યા છે.

ધોરાજી ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ ધોરાજી તેમજ ઉપલેટા તાલુકા વિસ્તારોની અંદર બેનરો લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત વિધાનસભાના ઉમેદવારોની યાદીઓ જાહેરજે રીતે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ યાદીઓની અંદર ગુજરાત વિધાનસભાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરવામાં આવી હતી, ત્યારે રાજકોટ જિલ્લામાં અગાઉ ગોંડલ તેમજ ધોરાજી વિધાનસભા માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગોંડલ વિધાનસભા માટે નિમિશા ખૂંટનું આમ આદમી પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ધોરાજી ઉપલેટા બેઠક (Dhoraji Upleta Assembly Seat) માટે વિપુલ સખીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી વિધાનસભા માટે જાહેર થયેલા વિરોધ વધ્યો હોવાનું સામે આવ્યું છે.

વિધાનસભાના ઉમેદવારનું નામ જાહેર થતા જ આનંદ તેમજ ઉત્સવનો માહોલ આમ આદમી પાર્ટી દ્વારા જયારે ધોરાજી ઉપલેટા વિધાનસભાના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આ નામે જાહેર કરવામાં આવતાં જ શરૂઆતની અંદર પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ હોદેદારો સહિતના સૌ કોઈની અંદર આનંદ તેમજ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. નામ જાહેર થતાની સાથે જ સૌ કોઈ નેતાઓ કાર્યકર્તાઓ આગેવાનો સહિતના સૌ કોઈ લોકો એકત્રિત થઈ અને ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવી અને પાર્ટીના નિર્ણયને આવકારી ધોરાજી વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખીયાને શુભકામનાઓ અને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સાથે રહેવાની અને સાથે કામ કરવાની વાતો કરતા નજરે પડ્યા હતા.

જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ યાદીઓની અંદર ગુજરાત વિધાનસભાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરવામાં આવી હતી

ઉમેદવાર વિપુલ સખીયાનું નામ જાહેર થતા આંતરિક વિવાદવિધાનસભાની યાદીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખીયાનું નામ જાહેર થયા બાદ થોડા સમયની અંદર આંતરિક વિવાદ તેમજ આંતરિક ખેંચતા અને વાદવિવાદ શરૂ થયો હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં ધોરાજી ઉપલેટા વિસ્તારના આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પાસેથી મળતી માહિતી અનુસાર વિધાનસભાના ઉમેદવાર દ્વારા કાર્યકર્તાઓ તેમજ આગેવાનોની કોઈપણ પ્રકારની ગણના કરવામાં આવતી નથી. તેમજ કોઈ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી નથી. કોઈને વિશ્વાસમાં લીધા નથી. તેવું જણાવી પોતાના સ્વાર્થ માટે અન્ય લોકોને દોડાવી પોતે સમગ્ર સત્તા હાંસલ કરી લીધા હોવાનું આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ અને પૂર્વ કાર્યકર્તાઓએ પણ જણાવ્યું હતું.

વિધાનસભાની યાદીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખીયાનું નામ જાહેર થયા બાદ થોડા સમયની અંદર આંતરિક વિવાદ તેમજ આંતરિક ખેંચતા અને વાદવિવાદ શરૂ થયો હોવાનું પણ સામે આવ્યું છે.

ઉમેદવારી કરવા માટેની લાલચઆ બાબતે આમ આદમી પાર્ટીના ધોરાજી ઉપલેટા વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખીયાએ પણ જણાવ્યું હતું કે, પાર્ટીએ જે નિર્ણય કર્યો છે. તેનાથી ઘણા કાર્યકર્તાઓને સત્તા હાંસલ કરવાની જે લાલચ હતી, તેમજ ઉમેદવારી કરવા માટેની લાલચ હતી. તે ન મળવાને કારણે કદાચ કોઈ આગેવાન તેમજ પૂર્વ આગેવાન અને પૂર્વ નેતાઓ દ્વારા આ પ્રકારની નારાજગી હોય તેવું જણાવ્યું હતું.

કેજરીવાલ સાહેબ જિંદાબાદ અને વિપુલ સખીયા મુર્દાબાદના બેનરની અંદર સ્લોગન લખવામાં આવ્યા છે.

હોદ્દેદારોને તોડવા અને ગુમરાહ કરવા માટે આ પ્રકારના બેનરો આ સાથે વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આ કામ કદાચ અન્ય કોઈ પાર્ટીએ પણ કર્યો હોય જેનાથી આમ આદમી પાર્ટીનું સંગઠન તેમજ બળ તૂટે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હોય પરંતુ વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખીયા દ્વારા એટલું ખાસ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પરિવર્તન લાવવા માટે મહેનત કરી રહી છે ત્યારે તેમના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને તોડવા અને ગુમરાહ કરવા માટે આ પ્રકારના બેનરો લગાવી આમ આદમી પાર્ટીના સંગઠનને ભાંગવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે તેવું જણાવ્યું હતું પરંતુ પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓ હંમેશા પાર્ટી પ્રત્યેના નિર્ણયો અને સૂચનો માટે વફાદાર અને સ્વીકાર્ય રહેશે અને રહેતા આવ્યા છે તેવું પણ ઉમેદવાર વિપુલ સખીયાએ જણાવ્યું છે.

વિધાનસભાની યાદીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખીયાનું નામ જાહેર થયા બાદ થોડા સમયની અંદર આંતરિક વિવાદ તેમજ આંતરિક ખેંચતા અને વાદવિવાદ શરૂ થયો હોવાનું પણ સામે આવ્યું છે.

વિપુલ સખીયા વિરુદ્ધ બેનરો લગતા રાજકીય ગરમાગરમી ઉલ્લેખનીય છે કે, આગામી 30 ઓક્ટોબર 2022ના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ધોરાજી ખાતે આવી રહ્યા છે. ત્યારે તેમના કાર્યક્રમ પહેલા ધોરાજી વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખીયા વિરુદ્ધ બેનરો લગતા રાજકીય ગરમાગરમી પણ જોવા મળી છે ત્યારે આ બાબતે સત્ય હકીકત અને વિરોધનું કારણ બોલવા કોઈ સામે નહિ આવતું હોવાની વિગતો પણ સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details