ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજી ખાતે મુસ્લિમોએ જુમ્માની નમાજ ઘરમાં અદા કરી - gujrat in corona

ધોરાજી ખાતે મુસ્લિમોએ જુમ્માની નમાજ ઘરમાં અદા કરી હતી. મુફ્તી ગુલામગોષ અલ્વી સાહેબે લોકોને જુમ્માની નમાજ ઘરમાં પઢવા માટે કરી અપીલ હતી હતી. જેને મુસ્લીમ સમાજના લોકોએ સ્વીકારી હતી.

ધોરાજી ખાતે મુસ્લિમોએ જુમ્મા નમાજ ઘરમાં જ અદા કરી
ધોરાજી ખાતે મુસ્લિમોએ જુમ્મા નમાજ ઘરમાં જ અદા કરી

By

Published : Apr 4, 2020, 9:53 AM IST

રાજકોટઃ જિલ્લાના ધોરાજીના મુસ્લિમ ધર્મ ગુરુ અને સૌરાષ્ટ્રના નામાંકિત મુફ્તી એવા મુફ્તી ગુલાંગોષ અલ્વી સાહેબ પ્રિન્સિપાલ દારુલ ઉલુમ મિશ્કીનિયાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સૌરાષ્ટ્ર ભરના મુસ્લિમોને શુક્રવાર એટલે કે, જુમ્મા નમાજ ઘરે અદા કરવા માટે અપીલ કરી હતી.

મુફ્તી અલ્વી સાહેબએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની વેશ્વિક મહામારી છે. ત્યારે હાલ લોકડાઉન અને જિલ્લા કલેક્ટરનું જાહેરનામું 144ની કલમ લાગુ કરવામાં આવી છે, ત્યારે મુસ્લિમો પણ લોકડાઉનનો અમલ કરે છે.

શુક્રવાર હોવા છતાં પણ મુસ્લિમો ઘરે જ નમાજ અદા કરે મસ્જિદોમાં ભીડ ભાડ ના થાઈ અને જાહેરનામાંનો ભંગ ના થાઈ અને ખાસ કરીને કોરોના વાઇરસને અટકાવવી શકાઇ માટે લોકોતંત્રને સાથ સહકાર આપી શકાય.

મુફ્તી અલ્વી સાહેબનઆ સંદેશને મુસ્લિમોએ સ્વીકાર્યું હતું અને ખાસ કરી અને જુમ્મા નમાજ દરેક લોકોએ ઘરે અદા કરી હતી અને જાહેરનામાંનું પાલન થાય તેવા હેતુથી ઘરેજ નમાજ અદા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details