ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના આજીડેમ-2ના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ખેડૂતોને લાભ - સૌરાષ્ટ્રમાં વરસાદ

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ થતાં ઠેર-ઠેર ડેમ અને તળાવોમાં નવા નીરની આવક નોંધાઇ છે. જેને કારણે રાજકોટના આજી ડેમ 2ના પાંચ દરવાજા મંગળવારે ખોલવામાં આવ્યા છે. આજીડેમ-2માં 9 ફૂટ કરતા રાજકોટમાં વધુ પાણીની આવક નોંધાઇ છે.

Rajkot

By

Published : Jul 30, 2019, 2:51 PM IST

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ થયો છે. જેમાં 2 ઇંચથી માંડીને કુલ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પણ ગત વહેલી સવારથી જ મધ્યમ, હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજકોટ સહિત જિલ્લાઓને પાણી પૂરું પડતા જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે.

રાજકોટના આજીડેમ 1માં પોણો ફૂટ, આજી 2માં 9.35 ફૂટ, ન્યારી 1માં અડધો ફૂટ અને ભાદર ડેમમાં 0.3 ફૂટ જેટલા નવા-નીરની આવક થઈ છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે. રાજકોટના આજીડેમ 2માં 9 ફૂટ કરતા વધારે પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ સાથે જ આજ સવારથી જ ડેમના પાંચ જેટલા પાટિયા ખોલવામાં આવ્યા છે. જેને લઈને વિસ્તારના ખેડૂતોને પણ લાભ થશે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ હવામાન ખાતાની અગાહીને પગલે રાજકોટ સહિત જિલ્લામાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રનું એલર્ટ છે.

ABOUT THE AUTHOR

...view details