ગુજરાત

gujarat

જેતપુરમાં 13 દિવસમાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત, મોતનું કારણ અકબંધ

By

Published : Sep 14, 2019, 5:18 PM IST

રાજકોટઃ જિલ્લાના જેતપુરના ગોંદરા વિસ્તારમાં બિમારીને કારણે 13 દિવસમાં એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોત થયા છે. આ તમામ મૃતકોએ અગાઉ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં તેમના મૃત્યું થયા હતા.

jetpur

જેતપુરના ગોંદરા વિસ્તારમાં બીમારીને કારણે 13 દિવસમાં એક પરિવારના 3 વ્યક્તિ બે સગી બહેનો સાથે પિતરાઈ ભાઈ સહિતના ત્રણ વ્યક્તિઓના એક પછી એકના મોત થયા છે, જ્યારે બહેનની ઉતરક્રિયા વેળાએ જ મોટી બહેન મૃત્યુ પામ્યા હતા. મૃતકોએ પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

જેતપુરમાં 13 દિવસમાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત

ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા સદસ્ય રમાબેનને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આરોગ્ય વિભાગને જાણ કરી હતી. એક પરિવારમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓના મોતને લઈને પરિવાર સંતાન વિહોણો બન્યો છે. મૃતકોના મોત તાવને કારણે થયાં કે અન્ય કારણે તે આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો વિષય બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details