ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાનમાં રહેતા ભારતીય સમુદાયના બે યુગલે રાજકોટ આવી ધામધૂમથી કર્યા લગ્ન - લગ્ન

રાજકોટઃ પાકિસ્તાનના કરાંચીમાં રહેતા માહેશ્વરી સમાજના બે યુગલોએ રાજકોટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. પાકિસ્તાનમાં યોગ્ય વાતાવરણના અભાવે યુગલે ભારતમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટમાં માહેશ્વરી સમાજનો બહુ મોટો વર્ગ છે. તેમજ દર વર્ષે અહીં સમાજના યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે, આ બંને યુગલોએ આ બાબતને ધ્યાનમાં રાખી રાજકોટમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

marriage

By

Published : Aug 18, 2019, 8:04 PM IST

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં આઝાદી વખતે કરાર મુજબ લાગુ કરેલી 370ની કલમમાં ફેરબદલ કર્યા બાદ પાકિસ્તાન સાથે સંબંધ વધુ વણસ્યા છે. પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપાર સહિતના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. જેથી, બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તિરાડ પડી હતી. તેવામાં પાકિસ્તાનમાં સ્થિતિ વધારે ગંભીર બની છે. પાકિસ્તાનમાં વસતાં ભારતના માહેશ્વરી સમાજના બે યુગલો દ્વારા ભારત આવી લગ્નગ્રંથીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

પાકિસ્તાનમાં રહેતા ભારતીય સમુદાયના બે યુગલે રાજકોટ આવી ધામધૂમથી કર્યા લગ્ન

જેથી તેમણે સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજકોટમાં લગ્ન કરવાનું આયોજન કર્યા બાદ ભગવતીપરા વિસ્તારમાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેઓ વિધિવત રીતે લગ્નગ્રંથીમાં જોડાયા હતા.

અનિલ લખિયા નામના યુવાને ભારતમાં આવીને લગ્ન કરવા અંગે જણાવ્યું હતુ કે પાકિસ્તાનમાં લોકોને જોઈએ તેવી આઝાદી મળતી નથી. આ સાથે જ અમારા પરિવારના સભ્યો રાજકોટમાં રહે છે. જેથી અમે રાજકોટમાં લગ્નનો નિશ્ચય કર્યો હતો. હાલ પાકિસ્તાનના કરાંચીમાં અંદાજીત 3 હજારથી વધુ માહેશ્વરી સમાજના લોકો રહે છે. રાજકોટમાં દર વર્ષે સમુહ લગ્ન થતાં હોવાથી અમે અહીં લગ્ન માટે આવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે બંન્ને યુગલમાંથી લગ્ન બાદ અનિલ લખિયા અને નિશા લખિયાએ ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ચેતન ડોરૂં અને મંજુલા ડોરૂ પાકિસ્તાન પરત જશે.

ABOUT THE AUTHOR

...view details