પોરબંદરના વતની એવા જય સાજણભાઈ મોઢવાડીયા નામના યુવાનને માર્ગ અકસ્માતમાં મગજના ભાગે ગંભીર ઈજા થતા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને પરિવારજનો દ્વારા પોતાના બાળક થકી અન્ય કોઈને નવું જીવન મળી શકે તે માટે તેના હદય સહિતના અંગોનું દાન કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો.
રાજકોટ બન્યું ઐતિહાસીક ઘટનાનું સાક્ષી, 15 વર્ષીય કિશોરનું હ્રદય ગ્રીન કોરિડોર વચ્ચે અમદાવાદ લઈ જવાયું - GUJARATI NEWS
રાજકોટઃ શહેરમાં આજે અનોખી અને ઐતિહાસિક પળો ઈતિહાસનાં પુસ્તકમાં નોંધાઈ ગઈ છે. શહેરની બીટી સવાણી હોસ્પિટલમાંથી 15 વર્ષીય બ્રેઈનડેડ કિશોરનું હ્રદય વહેલી સવારે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં હવાઈ માર્ગ થકી લઈ જવામાં આવ્યું છે. માત્ર 6 મિનિટમાં કિશોરના હ્રદયને હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતુ. આ માટે 60 જેટલા પોલીસ જવાનોને પણ ખડે પગે રાખવામાં આવ્યા હતા.
hd
વહેલી સવારે ગ્રીન કોરિડોર વચ્ચે આ યુવાનના હદયને માત્ર છ મિનિટના સમયમાં રાજકોટની બીટી સવાણી હોસ્પિટલથી મેડિકલ ટીમની વાનને રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ આ યુવાનના હદયને રાજકોટ એરપોર્ટથી અમદાવાદ ખાતે ચાર્ટડ પ્લેનમાં ખસેડવામાં આવ્યું હતુ.
આ દરમિયાન વચ્ચે કોઈ અડચણ ન ઉભી થાય તે માટે 60 પોલીસ જવાનોને પણ તૈનાત કરી દેવાયા હતા. કિશોરના હ્દયને સફળતા પૂર્વક અમદાવાદ ખસેડવામાં આવ્યું છે.
Last Updated : Jun 20, 2019, 1:26 PM IST