રાજકોટ: રાજકોટ ગ્રામ્યમાં કોરોના વ્યાપ વધતા ઉપલેટામાં 7, ગોંડલમાં 6, ધોરાજીમાં 2, જસદણ પંથકમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જસદણ પંથકમાં ગુરુવારે 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાણથલીમાં 2 તથા લીલાપુરમાં 2 કોરોના કેસ નોંધાયા હતા.
લીલાપુરના ભીખાભાઈ કાકડીયાનો ગુરુવારે કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું પરંતુ તેના પરિણામ પહેલા જ તેમનું નિધન થયું હતું. ત્યારબાદ PPE કીટ પહેરી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.