ગુજરાત

gujarat

ETV Bharat / state

અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના ગીત સી.આર.પાટીલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું - અટલ બિહારી બાજપાઈ

આજે ભારત રત્ન અટલ બિહારી બાજપાઈના જન્મદિન સુશાસન દિવસ નિમિત્તે" અટલ તો અટલ થે " ગીત ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સાંગીતિક ભાવવંદના સ્વરૂપે વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી પ્રસારિત કરી અટલ બિહારી બાજપાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના સ્વરૂપે સી આર પાટિલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું
અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના સ્વરૂપે સી આર પાટિલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું

By

Published : Dec 25, 2020, 12:57 PM IST

Updated : Dec 25, 2020, 2:14 PM IST

  • અટલ બિહારી બાજપાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
  • જામનગરના કવિ "મન" ડૉ.મનોજ જોશી દ્વારા 2018 માં રચાયું હતું આ ગીત
  • રાણાવાવના ડૉ.મીલન વસાવડાએ ગીતનું સ્વરાંકન કર્યું
  • રાજકોટના ડૉ.ઉતપલ જીવરાજાનીએ સ્ટુડિયોમાં આ ગીત રેકોર્ડિંગ કર્યું

પોરબંદર : આજે ભારત રત્ન અટલ બિહારી બાજપાઈના જન્મદિન સુશાસન દિવસ નિમિત્તે" અટલ તો અટલ થે " ગીત ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સાંગીતિક ભાવવંદના ગીત સ્વરૂપે વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી પ્રસારિત કરી અટલ બિહારી બાજપાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના સ્વરૂપે સી આર પાટિલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું
અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના સ્વરૂપે સી આર પાટિલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું
વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા

પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાને નિવાસસ્થાનેથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉપસ્થિત રહી ભાજપના ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તથા જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા અને સુરેશભાઈ ખાન સહિત અનેક ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ આ વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાયા હતા.

અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના સ્વરૂપે સી આર પાટિલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું
અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના સ્વરૂપે સી આર પાટિલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું
અટલજીના વ્યક્તિત્વને શબ્દ સ્વરૂપે વણીને જામનગરના કવિ "મન" ડૉ.મનોજ જોશી દ્વારા 2018 માં રચાયું હતું આ ગીત
અટલ બિહારી બાજપાઈની 96મી જન્મ જયંતિ પર પ્રસારિત કરવામાં આવેલ "અટલ તો અટલ થે" ગીત એક ભાવવંદના ગીત છે. જે અટલજીના વ્યક્તિત્વને શબ્દ સ્વરૂપે વણીને જામનગરના કવિ "મન" ડૉ.મનોજ જોશી દ્વારા 2018 માં રચાયું હતું. આ ગીતમાં અટલજીના પ્રભાવશાળી વક્તવ્યો તેની સામે આવેલ વિકટ પરિસ્થિતિમાં નેતૃત્વ શક્તિથી અનેક લોકો પ્રભાવિત થયા છે. તેના જીવનના એક એક પ્રસંગોથી પ્રેરિત થઈ તબીબોએ આ ગીત બનાવ્યું છે. આ ગીતમાં પોરબંદરજિલ્લાના રાણાવાવ ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટમાં ફરજ બજાવતા ડૉ.મીલન વસાવડાએ સ્વરાંકન કર્યું છે. તેમજ રાજકોટના તબીબ ડૉ.ઉતપલ જીવરાજાનીએ સ્ટુડિયોમાં આ ગીત રેકોર્ડિંગ કર્યું છે. આ ગીતના પ્રાસંગિક વીડિયો એડિટિંગ નિસર્ગ વસાવડાએ કર્યું છે. આ ગીતને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર રજૂ કરતા ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના સ્વરૂપે સી.આર.પાટીલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું
Last Updated : Dec 25, 2020, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details