ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જનસેવા કેન્દ્રને સેનેટાઇઝ કરાયું

પોરબંદર જનસેવા કેન્દ્રને જિલ્લા તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. બુધવારથી શરૂ થનાર જનસેવા કેન્દ્રમાં અરજદારો આવતા જતા હોવાથી કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તે હેતુથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જનસેવા કેન્દ્ર બહાર તથા અંદરથી સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.

By

Published : Jun 2, 2020, 8:01 PM IST

પોરબંદર
પોરબંદર

પોરબંદરઃ દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેથી જિલ્લા તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ લોકહિતને ધ્યાનમાં રાખીને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ નગરજનોને જાગૃત કરવા માટે વિવિધ યોજના લાગું કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાની મહામારી વકરી રહી છે, ત્યારે જિલ્લા સ્તરે વાઈરસને નિયંત્રિત કરવાના પગલાં લેવામાં આવી રહ્યાં છે. પોરબંદર જનસેવા કેન્દ્રને જિલ્લા તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.

પોરબંદર

બુધવારથી શરૂ થનારા જનસેવા કેન્દ્રમાં અરજદારો આવતા જતા હોવાથી કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તે હેતુથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જનસેવા કેન્દ્ર બહાર તથા અંદરથી સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અરજદારોએ માસ્ક પહેરવા અને જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details