- પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
- પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે દરિયામાં ઠાલવવાનો વિરોધ
- દરિયાઇ જીવોનો નાશ અને માછીમારી ઉદ્યોગને માઠી અસર થવાથી ખારવા ચિંતન સમિતિએ કર્યો વિરોધ જેતપુરના સાડી ઉદ્યોગના પાણીને સમુદ્રમાં ઠાલવવાની પ્રક્રિયા સામે વિરોધ
પોરબંદરઃ આજે વિશ્વ સમુદ્ર દિવસ(World Sea Day) છે. આજના દિવસે સરકાર દ્વારા દરિયામાં ફેલાતાં પ્રદૂષણને રોકવા માટે પ્રયાસ કરવામાં આવે છે અને લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે સમુદ્રમાં પ્રદૂષણ થતું અટકાવવું, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જેતપુરના કાપડ ઉદ્યોગ, સાડી ઉદ્યોગનો કરોડો લીટર પાણીનો કદડો પાઇપલાઇન મારફતે પોરબંદરના સમુદ્રમાં ઠાલવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ નિર્ણય પર અમલવારી શરૂ કરવામાં આવી રહી છે. જેનો પોરબંદરની જનતાએ વિરોધ કર્યો છે.
પોરબંદરના પ્રકૃતિ The Youth Club દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
પોરબંદરના પ્રકૃતિ ધ યુથ કલબ દ્વારા આજે મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જેતપુર સાડી ઉદ્યોગનું ગંદુ કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોરબંદરના દરિયામાં અનેક માછલીની પ્રજાતિઓ અને કાચબા, વ્હેલ, શાર્ક, ડોલ્ફીન જેવી અલૌકિક જીવ સૃષ્ટિ વિશ્વમાનવી લુપ્તતાને આરે છે, ત્યારે પોરબંદરના દરિયામાં આ સૃષ્ટિ ખૂબ આસાનીથી અને વધુ જોવા મળે છે, પરંતુ દૂષિત પાણી ન કારણે દરિયાઈ જીવને નુકસાની પહોંચશે. આ કેમિકલ પાણીની પાઈપલાઈન જેતપુરથી છેક પોરબંદર સુધી આવશે તો આવા પાણીથી ફળદ્રુપ જમીન પણ બંજર જમીનમાં ફેરવાઇ જશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, વિવિધ સંગઠનો દ્વારા કરાયું વૃક્ષારોપણ