ગુજરાત

gujarat

જેતપુરના કેમિકલ ઔદ્યોગિક એકમ દ્વારા સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાના પ્રોજેક્ટ સામે ઉઠ્યો વિરોધ

By

Published : Jun 15, 2021, 2:26 PM IST

Updated : Jun 15, 2021, 10:27 PM IST

જેતપુરના ઔદ્યોગિક એકમ દ્વારા પોરબંદરના સમુદ્રમાં કેમિકલયુક્ત (Chemical) પાણી ઠલાવવાના પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાયો હતો અને તેના પગલે પ્રકૃતિ યુથ કલબ (Nature Youth Club)દ્વારા સેવ ધ પોરબંદર (Save the Porbandar) સી મુહિમ ચલાવાવામાં આવી રહી છે.

જેતપુરના કેમિકલ ઔદ્યોગિક એકમ સામે નોંધાયો વિરોધ
જેતપુરના કેમિકલ ઔદ્યોગિક એકમ સામે નોંધાયો વિરોધ

  • સામાજિક સંસ્થાઓ અને સોશિયલ મીડિયામાં અનોખી મુહિમ
  • ભારત વિકાસ પરિષદ, યુથ કોંગ્રેસે પણ નોંધાવ્યો વિરોધ
  • પ્રકૃતિ યુથ કલબ દ્વારા સેવ ધ પોરબંદર સી મુહિમ ચલાવાઇ રહી છે

પોરબંદરઃ જેતપુર ઉદ્યોગનો કેમિકલયુક્ત ઝેરી કચરો પાઈપલાઈન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવા બાબતે અનેક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ આ વિરોધનો અનેક લોકો સમર્થન કરી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં યુથ કોંગ્રેસ, ભારત વિકાસ પરિષદ પોરબંદર દ્વારા આવેદન પાત્ર પાઠવવામાં આવ્યુ હતું.

આ પણ વાંચોઃ જેતપુર ઉદ્યોગનું ઝેરી કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે કોંગ્રેસનો વિરોધ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરાઇ રજૂઆત

પોરબંદર શહેર યુથ કોંગ્રેસની ટીમ હેરી કોટીયા, રાહુલ ચુડાસમાં, ઉમેશ બરીદુન, આનંદ નાંઢા, કલ્પેશ જુંગી, આનંદ પુંજાણી, પુનિત શિયાળ તેમજ હરિશભાઈ મોતીવરસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, જેતપુરના સાડી ઉદ્યોગનો કેમિકલયુક્ત ઝેરી કદડો પાઈપલાઈન મારફતે જો પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે. તો દરિયાની જીવસૃષ્ટિને ભયંકર નુકશાન થશે. તેમજ માછીમારો પાયમાલ થશે એટલે તાત્કાલિક જો આ પ્રોજેક્ટ રોકવામાં નથી આવ્યો તો યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃદરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ પોરબંદરમાં સાગર સુરક્ષા કવચ અભિયાન યોજાયું

પ્રદૂષિત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવતા વિરોધ

પોરબંદરની ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા પણ જેતપુરના આ પ્રદૂષિત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજરોજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ કમલેશ ખોખરી, પ્રધાન નિધિબેન શાહ અને માહિલાસંયોજિકા નિવેદિતા બેન જોશીએ પણ જિલ્લા અધિક કલેક્ટર રાજેશ તન્નાને આવેદનપત્ર પાઠવી આ પ્રોજેક્ટ રોકવા જણાવ્યું હતું.

સેવ પોરબંદર નામની મુહીમ કરાઇ શરૂ

સોશિયલ મિડીયામાં સમુદ્રને બચાવવા સેવ પોરબંદર સી નામની મુહીમ શરૂ કરવામાં આવી છે. પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા આ મુહિમ શરૂ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયામાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ ક્લબના આગેવાન નૂતન બેન ગોકાણીએ સમુદ્રના જળચર જીવને બચાવવા લોકોને આગળ આવવા અપીલ કરી છે.

Last Updated : Jun 15, 2021, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details