ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી - Bhajap

પોરબંદરઃ આજે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લઈ રહ્યા છે. આ બાબતે દેશના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ દેશના વહીવટીતંત્રની વ્યવસ્થામાં કોટલી ખામીઓ રહેલી છે તે આ જનસેવા કેન્દ્રનો જે વીડિયો છે તે પરથી જોઈ શકાય છે. દાખલો કઢવવા આવેલ લોકોએ વડાપ્રધાનને અપીલ કરી હતી કે, આવક અંગેના દાખલા સહિત અનેક દસ્તાવેજો માટે લાંબી કતારોમાં ઉભુ રહેવું પડે છે અને સમયની બરબાદી થાય છે. આ સુવિધાનો ઉપયોગ સરળતાથી મળે તેવી લોકોએ માગ કરી હતી.

જનસેવા કેન્દ્ર

By

Published : May 30, 2019, 2:27 PM IST

પોરબંદરના જનસેવા કેન્દ્રમાં આજે લાંબી કતારો લાગી હતી તો વિદ્યાર્થીઓ માટે આવકના દાખલા મેળવવા દૂરદૂરથી વાલીઓ પણ સાથે આવ્યા હતા. સવારના 6 વાગ્યાથી લાંબી કતારો જોવા મળી છે તો અનેક લોકો વ્યવસ્થાતંત્રની ખામી અંગે પણ રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે નાગકા ગામના પરબતભાઈ જણાવ્યું હતું કે, તેઓ સવારના 7 વાગ્યાથી લાંબી લાઇનમાં ઉભા છે, પરંતુ હજુ પણ તેમનો વારો આવ્યો નથી. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, ઘણા દિવસોથી માત્ર એક દસ્તાવેજ માટે ધક્કા ખાવા પડે છે.

પોરબંદરના જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી

બીજી તરફ કેસરબેન નામના વૃદ્ધાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી તેઓ જનસેવા કેન્દ્ર અને કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય જવાબ મળતો નથી. લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે વારો આવ્યો ત્યારે એમ કહેવામાં આવે છે કે, કાલે આવજો. દેશ એક તરફ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે મૂળ વ્યવસ્થા અંગે સરકાર શું કરે છે તે જોવાનું રહ્યું? છેલ્લા 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો છે, પરંતુ સ્ટાફની અછત અને નેટ કનેક્ટિવિટીના અભાવે અનેક લોકોને દસ્તાવેજી પ્રક્રિયામાં રાહ જોવી પડે છે. તો આ સુવિધા ઘર બેઠા જ મળી જાય તેવો ઉકેલ આવે તો લોકોને અલગ ખુશી મળે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details