ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં બુધવારે પોરબંદર નગર સેવા સદન તથા છાયા નગર સેવા સદનના સહયોગથી શહેરને સ્વચ્છ રાખનાર સ્વચ્છતાના સેવકોને સાંદિપની સ્વચ્છતા એવૉર્ડ 2019થી સમ્માનીત કરવામાં આવ્યા હતા. એવૉર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન પોરબંદરના અસમાવતી રીવર ફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં સાંદિપની આશ્રમના કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે તમામ લોકોને એવૉર્ડ આપવામાં આવ્યા હતા.
પોરબંદરમાં સ્વચ્છતાના સેવકોને 'સાંદિપની સ્વચ્છતા' એવૉર્ડ કરાયા એનાયત - સ્વચ્છતા સેવકોને એવોર્ડ
પોરબંદર: બુધવારના રોજ કથાકાર રમેશ ઓઝાના હસ્તે શહેરના તમામ સ્વચ્છતા સેવકોને એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એવૉર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન અસમાવતી રીવર ફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.
![પોરબંદરમાં સ્વચ્છતાના સેવકોને 'સાંદિપની સ્વચ્છતા' એવૉર્ડ કરાયા એનાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4916424-thumbnail-3x2-m.jpg)
સાંદિપની સ્વચ્છતા એવૉર્ડ
પોરબંદરમાં સ્વચ્છતાના સેવકોને સાંદિપની સ્વચ્છતા એવૉર્ડ અનાયત કરાયા
કાર્યક્રમમાં રમેશ ઓઝા, જિલ્લા કલેક્ટર ડી.એન.મોદી, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, નગર સેવા સદન પોરબંદરના ચીફ ઓફિસર આર.જે.હુદડ, છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભૂતિયા અને છાયા નગરસેવા સદનના ચીફ ઓફિસર શેખ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.