ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સેવાભાવી યુવાનો ૨૪ કલાક અસરગ્રસ્તોની સેવામાં - Porbandar News

પોરબંદરઃ “વાયુ” વાવાઝોડાનુ આગમન થાય તે પૂર્વે પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સાવચેતીના પગલા લઇ નીચાણવાળા વિસ્તારો તથા કાચા મકાનોમાં રહેતા લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. આ સ્થળાંતર થયેલા લોકોને ભોજન-પાણી તથા આવશ્યક સેવાઓ જિલ્લાતંત્ર દ્રારા પુરી પાડવામાં આવી રહી છે.

પોરબંદરના સેવાભાવી યુવાનો ૨૪ કલાક અસરગ્રસ્તોની સેવામાં

By

Published : Jun 14, 2019, 12:22 AM IST

સ્થળાંતરીત લોકોની ભોજન સહિતની વ્યવસ્થા માટે પોરબંદરના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. જ્યારે ભોજન તૈયાર કરવા સખીમંડળની બહેનો અવિરત સેવા આપી રહી છે. પોરબંદર સ્થિત સ્વસ્તીક હોલમાં સતત રસોડુ કાર્યરત કરી સ્થળાતરીત લોકોને ભોજન જમાડવામાં આવી રહ્યું છે.

પોરબંદરના સેવાભાવી યુવાનો ૨૪ કલાક અસરગ્રસ્તોની સેવામાં
પોરબંદર એમ.ઇ.એમ શાળા ખાતે ૬૦૦ ઉપરાંત લોકો આશ્રય મેળવી રહ્યા છે. તેમને જિલ્લા વહિવટીતંત્રના સહયોગ સાથે રવિભાઇ ભટ્ટ, મહેશભાઇ ગોઢાણીયા, ભરતભાઇ ઓડેદરા, વિપુલ જાડેજા, પ્રદિપ લાડવા, વિરમ ગોઢાણીયા સહિતના યુવાનો ભોજન પીરસવા તેમજ સ્થળાંતરીત લોકોની વ્યવસ્થા માટે ૨૪ કલાક અવિરત સેવા આપી રહ્યા છે.
પોરબંદરના સેવાભાવી યુવાનો ૨૪ કલાક અસરગ્રસ્તોની સેવામાં
સ્વસ્તીક હોલ ખાતે એનયુએલએમ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર આરતીબેન ત્રિવેદીના માર્ગદર્શન તળે શ્રી શક્તિ સખીમંડળના ભારતીબેન ચમાડીયા, ઉપરાંત સરોજબેન, અસ્મીતાબેન, વાલીબેન ચમાડીયા તેમજ જયશ્રીબેન સહિતના બહેનો ભોજન બનાવવામાં સહયોગી થઇ રહ્યા છે.
પોરબંદરના સેવાભાવી યુવાનો ૨૪ કલાક અસરગ્રસ્તોની સેવામાં

ABOUT THE AUTHOR

...view details