ગુજરાત

gujarat

By

Published : Sep 17, 2022, 7:13 PM IST

ETV Bharat / state

PM મોદી ના 72 મા જન્મદિવસે વન વિભાગે 72 વૃક્ષો વાવી આંદોલન કર્યુ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 72 મા જન્મ દીવસ નીમીતે પોરબંદર વન વિભાગના તમામ સ્ટાફે એકત્રિત થઈ 72 વૃક્ષોનું વાવેતર કરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આગળ વધાર્યુ.(forest department protest with planting tree )

પોરબંદર વન વિભાગના સ્ટાફે 72 વૃક્ષોનું વાવેતર કરીને આંદોલન કર્યુ
પોરબંદર વન વિભાગના સ્ટાફે 72 વૃક્ષોનું વાવેતર કરીને આંદોલન કર્યુ

પોરબંદર: તા 17/09/2022 ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 72 મા જન્મ દીવસ નીમીતે પોરબંદર વન વિભાગના તમામ સ્ટાફે એકત્રિત થયા હતા.(porbandar forest deoartment) જ્યા તેમને 72 વૃક્ષોનું વાવેતર કરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આગળ વધાર્યુ હતુ. ગુજરાત સરકાર તથા માનનીય પ્રધાનમંત્રીને વનરક્ષક - 2800 ગ્રેડ પે તથા વનપાલ - 4200 ગ્રેડ પે તથા રજા પગાર અને ભરતી/બઢતી ૧:૩ પ્રક્રિયા તેમ આ તમામ મુદ્દાનુ વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી સરકાર પાસે પોતાના હકની માંગણી કરી હતી. (forest department protest with planting tree )

પોરબંદર વન વિભાગના સ્ટાફે 72 વૃક્ષોનું વાવેતર કરીને આંદોલન કર્યુ

વન વિભાગનો વિરોધઃ ન માત્ર પોરબંદરમાં પણ જૂનાગઢમાં પણ વન વિભાગના કર્મચારીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને વન વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં હિંસક પશુઓના આંટાફેરા વધી જવાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ છે. જોકે, સરકારે આ અંગે વનવિભાગના વિરોધ પ્રદર્શન સામે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

ABOUT THE AUTHOR

...view details