ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના છાયામાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો, સગા ભાઈએ જ કરી હત્યા - પોરબંદર ન્યૂઝ

પોરબંદરમાં સગા બે ભાઈઓ વચ્ચે નાણા મામલે ઝઘડો થતાં મનીશે તેના ભાઈ કેશુના માથાના ભાગ પર માર મારતા તેનું મોત થયું હતુ. ત્યાર બાદ તે ભાગી ગયો હતો. ત્યારે પોલીસે આજે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

porbandar
porbandar

By

Published : Sep 24, 2020, 11:51 AM IST

પોરબંદરઃ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા કેશુભાઈ લાખાભાઈ બાપોદરાની રાત્રીના સમયે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે હત્યા કરનાર બીજુ કોઇ નહિ તેનો સગો ભાઈ મનીષ બાપોદરા જ હતો. જે હત્યા કરી ભાગી ગયો હતો. એવામાં આજે પોલીસે આરોપી એચ.એમ.પી કોલોનીના ખંઢેર મકાનમાંથી મનીષની ધરપકડ કરવામાં આવી છે.

પોરબંદરમાં છાંયા વિસ્તારમાં રહેતા કેશુ લાખા બાપોદરા અને મનીષ લાખા બાપોદરા બંને સગા ભાઈઓ છે. 6 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે મનીષે તેના ભાઈ કેશુ સાથે નવો મોબાઇલ લેવા પૈસા માટે ઝઘડો કર્યો હતો. મનીષ કોઈ કામ ધંધો કરતો ન હતો. તેમજ તે ખુબ જ ક્રોધિત અને તામસી સ્વભાવનો છે. બંને ભાઈ વચ્ચે થયેલા ઝઘડામાં રોષે ભરાયેલા મનીશે તેના ભાઈ કેશુના માથાના ભાગમાં તિક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો અને અંતે કેશુનું ગંભીર ઈજાથી મોત થયું હતું.

પોરબંદરના છાયામાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો
આ બનાવ બાદ આરોપી મનીષ બાપોદરા નાસી છૂટ્યો હતો. 17 દિવસ બાદ પોલીસે આજે એચ એમ પી કોલોનીના ખંઢેર મકાનમાંથી મનીષને ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં કમલાબાગ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન. રબારી, સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન. ચુડાસમા તથા એ.એસ.આઈ વિરમભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ABOUT THE AUTHOR

...view details